જામજોધપુરના સમાણા ગામમાં બે ઘરમાથી 6.85 લાખ રૂપિયાની ચોરી: બે પોલીસ ફરિયાદ નોંધાઈ
Published on: 10th June, 2025
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં બે રહેણાંક મકાનોમાંથી કુલ રૂપિયા 6,85,000ની ચોરીની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ચિંતનભાઈ અજુડીયાના બંધ મકાનમાંથી ₹20,000 રોકડ અને ₹6 લાખના સોનાના દાગીના ચોરાઈ ગયા. આ ઉપરાંત બાજુમાં રહેતા મનિષાબેન ગોહિલના ₹65,000ના સોનાના દાગીનાં ચોરાયા હતા. એલસીબીની તપાસમાં ચોરીનો ભેદ ઉકેલાયો છે અને એમાંના એક તસ્કરની પોલીસે ધરપકડ કરી છે. તપાસમાં ઘટના વિશે વધુ માહિતી મળી રહી છે.