Menu
જુહાપુરામાં ગુનેગારોનાં ઘર પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બુલડોઝર ફેરવાયુ
જુહાપુરામાં ગુનેગારોનાં ઘર પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બુલડોઝર ફેરવાયુ
Published on: 10th June, 2025

અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા ગુનેગારો નઝીર વોરાના ઝુબેદા હાઉસ અને સરફરાઝ કીટલીનાં ગેરકાયદે બાંધકામો હટાવવામાં આવ્યા. નઝીર વોરા પર 20 થી વધુ ગુનાઓમાં આરોપી હોવાના સંબંધમાં 368 ચોરસ મીટર જેટલી જગ્યામાં થયેલ બાંધકામનું ડિમોલિશન કરવામાં આવ્યું. સરફરાઝ કીટલીના 168 ચોરસ મીટર ગેરકાયદે બાંધકામ પર પણ આ કાર્યવાહી કરવામાં આવી હતી. બુંલડોઝર દ્વારા તોડફોડ પોલીસ બંદોબસ્ત હેઠળ કરવામાં આવી હતી, જે આવા ગેરકાયદેસર બાંધકામ સામે કડક પગલાં દાખલારૂપ છે.