સુભાષ ચંદ્રાનું 22,006 કરોડનું દેવું, માત્ર 6.5 કરોડમાં સમાધાન
સુભાષ ચંદ્રાનું 22,006 કરોડનું દેવું, માત્ર 6.5 કરોડમાં સમાધાન
Published on: 27th August, 2026

સુભાષ ચંદ્રાના ₹22,006 કરોડના દેવાની NCLT દ્વારા માત્ર ₹6.5 કરોડમાં સમાધાનની મંજૂરી મળતા મોટો વિવાદ સર્જાયો છે. આ નિર્ણયને કારણે બેંકોને 99.97% નો 'હેર કટ' સહન કરવો પડશે. વિજય માલ્યાએ સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, "મારા દોસ્ત સુભાષને ખૂબ ખૂબ અભિનંદન." કોંગ્રેસ નેતા જયરામ રમેશે આને 'મુંડન' ગણાવી IBC ની મજાક ગણાવી. LICHFL જેવા લેણદારોએ આ નિર્ણયનો વિરોધ કર્યો, પરંતુ NCLTના મતે, દેવાદારને પગભર થવાનો મોકો મળશે તો ભવિષ્યમાં નાણાં વસૂલી શક્ય બનશે.