નેપાળમાં ગ્લેશિયલ તૂટવાથી વિનાશક પૂર: 165 મૃત્યુ, 500 લાપતા
નેપાળમાં ગ્લેશિયલ તૂટવાથી વિનાશક પૂર: 165 મૃત્યુ, 500 લાપતા
Published on: 27th August, 2026

નેપાળમાં ગ્લેશિયલ તૂટવાથી અચાનક આવેલા પૂરે જળપ્રલયની સ્થિતિ સર્જી છે, જેમાં અત્યાર સુધીમાં 165 લોકોના મોત થયા છે અને 500થી વધુ લોકો લાપતા છે. તિબેટ તરફ નદીનો પ્રવાહ અટકી જવાથી બનેલું તળાવ તૂટ્યા બાદ ભોટેકોશી નદીમાં ભારે પૂર આવ્યું હતું, જેના કારણે ચાર ઓટોમેટિક જળમાપન કેન્દ્રો પણ તણાઈ ગયા. 26 ઓગસ્ટે 4.4ની તીવ્રતાના ભૂકંપ બાદ આ વિનાશક પૂર આવ્યું હતું. સમયસર મળેલ ચેતવણીને કારણે મોટી સંખ્યામાં લોકો સુરક્ષિત સ્થળે પહોંચી શક્યા હતા.