નેપાળમાં પૂરનું કારણ ભૂકંપ નહીં, હિમનદી પ્રપાત
નેપાળમાં પૂરનું કારણ ભૂકંપ નહીં, હિમનદી પ્રપાત
Published on: 27th August, 2026

નેપાળમાં અચાનક આવેલા ભયાવહ પૂરના કારણે ફસાયેલા લોકોને બચાવવાની પ્રાથમિકતા વચ્ચે, USGS (યુનાઇટેડ સ્ટેટસ જીયોલોજિકલ સર્વે) એ સ્પષ્ટતા કરી છે કે આ પૂર ભૂકંપને કારણે નહીં, પરંતુ હિમનદી પ્રપાત (ગ્લેશિયર લેક આઉટબર્સ્ટ) ને કારણે આવ્યા હતા. તિબેટ-નેપાળ સીમા પર થયેલા હિમસ્ખલન અને શિલાઓના પતનને કારણે બાહૂન અને કોશી નદીઓના પ્રવાહ અટકી ગયા હતા. ત્યારબાદ, ઉપરથી સતત વરસાદ અને ગ્લેશિયર્સના જબરજસ્ત પ્રવાહને કારણે બંધો તૂટી ગયા, જેના પરિણામે વિનાશક પૂર આવ્યું અને ૩૦૦થી વધુ યાત્રીઓ-પર્યટકો લાપતા થયા, જેમાં ભારતીયોની સંખ્યા સૌથી વધુ હતી.