નેપાળમાં વિનાશક પૂર, ભૂકંપના આંચકા: 389 મોત, 1500થી વધુ ગુમ
નેપાળમાં વિનાશક પૂર, ભૂકંપના આંચકા: 389 મોત, 1500થી વધુ ગુમ
Published on: 28th August, 2026

નેપાળમાં આવેલા ભયાનક પૂરમાં અત્યાર સુધીમાં 389 લોકોના મોત થયા છે અને 1500થી વધુ લોકો હજુ પણ ગુમ છે. 290 ભારતીય નાગરિકો પણ ગુમ છે, જેના શોધ પ્રયાસો ચાલુ છે. પૂરમાં વિનાશ બાદ ભૂકંપના આંચકા પણ અનુભવાયા હતા, જેની તીવ્રતા 3.2 હતી. ભારત અને નેપાળ વચ્ચેનો રોડ સંપર્ક ખોરવાયો છે, જેના કારણે દિલ્હી-કાઠમંડુ બસ સેવા સ્થગિત કરવામાં આવી છે. ભારત 28 ઓગસ્ટના રોજ રાહત સામગ્રી મોકલશે. વિદેશ મંત્રાલયે કંટ્રોલ રૂમ સ્થાપ્યો છે.