છોટા ઉદેપુર: બકરાં માટે પાલો લેવા ગયેલા પશુપાલક પર દીપડાનો હુમલો, વન વિભાગે તપાસ શરૂ કરી
છોટા ઉદેપુર: બકરાં માટે પાલો લેવા ગયેલા પશુપાલક પર દીપડાનો હુમલો, વન વિભાગે તપાસ શરૂ કરી
Published on: 26th July, 2026

નસવાડી તાલુકાના જીતપુરા ગામમાં બકરાં માટે પાલો લેવા ગયેલા ચીમનભાઈ બચુભાઈ નાયકા પર દીપડાએ હુમલો કર્યો. આ ઘટનામાં તેમને હાથ પર ઈજા થઈ હતી, પરંતુ તેઓ બચી ગયા. ઘટના બાદ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી, દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવ્યું અને નાઈટ પેટ્રોલિંગ શરૂ કર્યું. પ્રાથમિક શાળાની નજીક થયેલા આ હુમલાને કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ છે. વન વિભાગ લોકોને સાવચેત રહેવા માટે જનજાગૃતિ અભિયાન ચલાવી રહ્યું છે.