વલસાડમાં નદીઓ ઓવરફ્લો, 12,754 લોકોનું સ્થળાંતર
વલસાડમાં નદીઓ ઓવરફ્લો, 12,754 લોકોનું સ્થળાંતર
Published on: 23rd July, 2026

વલસાડ જિલ્લામાં મુશળધાર વરસાદને કારણે ઔરંગા અને સ્વર્ગવાહિની નદીઓ ઓવરફ્લો થઈ છે, જેના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તંત્ર દ્વારા 12,754 લોકોને સુરક્ષિત રીતે શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા છે. NDRF અને SDRF ની ટીમો દ્વારા 352 નાગરિકોનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરાયું છે. આ ઘટનામાં 6 વૃક્ષો ધરાશાયી થયા છે અને 18 પશુઓના મોત નીપજ્યા છે. નાનાપોંઢા અને હિંગળાજ ગામે પણ બચાવ કામગીરી હાથ ધરાઈ હતી.