જામનગર અને દ્વારકા જિલ્લામાં વરસાદની ભારે ઘટ
જામનગર અને દ્વારકા જિલ્લામાં વરસાદની ભારે ઘટ
Published on: 23rd July, 2026

'અલ નીનો'ની અસરને કારણે સૌરાષ્ટ્રના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની ભારે અછત સર્જાઈ છે. તાજેતરના આંકડા મુજબ, દેવભૂમિ દ્વારકામાં 96% અને જામનગર જિલ્લામાં 80% વરસાદની ઘટ નોંધાઈ છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે જુલાઈ માસના અંત સુધીમાં ખૂબ જ ઓછો વરસાદ પડ્યો છે. આ સ્થિતિને કારણે ખેડૂતોમાં પાક નિષ્ફળ જવાનો અને પીવાના પાણીની તંગીનો ભય વ્યાપ્યો છે. હાલ સૌ ખેડૂતો ઓગસ્ટમાં બંગાળની ખાડીમાં સર્જાનારી સિસ્ટમ પર આશા રાખી રહ્યા છે.