દક્ષિણ ગુજરાતમાં વરસાદનો કહેર: અમિત શાહે CM સાથે કરી વાત
દક્ષિણ ગુજરાતમાં વરસાદનો કહેર: અમિત શાહે CM સાથે કરી વાત
Published on: 23rd July, 2026

દક્ષિણ ગુજરાતમાં સતત બીજા દિવસે મેઘરાજાના કહેરથી સુરત, નવસારી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે. અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં જનજીવન ગંભીર રીતે પ્રભાવિત બન્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી મદદની ખાતરી આપી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેર કાર્યક્રમો રદ કરી દક્ષિણ ગુજરાતના પ્રવાસે ગયા છે. સુરત સહિત અનેક વિસ્તારોમાં શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. રાજ્ય સરકાર એલર્ટ મોડમાં છે.