મોરબી પંથકના 10 ડેમમાં 22% જળસંગ્રહ!
મોરબી પંથકના 10 ડેમમાં 22% જળસંગ્રહ!
Published on: 25th June, 2026

ચાલુ વર્ષે મોંઘવારી કરતાં પણ મોડું ચોમાસું આવતા મોરબી જિલ્લામાં પાણીની મોટી તંગી સર્જાવાની ભીતિ છે. સિંચાઈ અને પીવાના પાણી માટેના મુખ્ય 10 ડેમોમાં કુલ ક્ષમતાના માત્ર 22.16% જ પાણી બચ્યું છે, જે 2,400 MCFT જેટલું છે. ગત વર્ષે આ સમય સુધીમાં 5 ઇંચથી વધુ વરસાદ થયો હતો અને ડેમોમાં નવી આવક શરૂ થઈ ગઈ હતી, પરંતુ આ વર્ષે સ્થિતિ ચિંતાજનક છે. ખાસ કરીને મચ્છુ-2 ડેમમાં માત્ર 24.28% પાણી છે, જ્યારે ડેમી-1 અને ડેમી-3 ડેમોમાં સ્થિતિ અત્યંત નાજુક છે. ખેડૂતો પણ વાવેતર અને ઉભા પાક માટે વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.