સાહોલ ગામના પ્રા. શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકી ઉત્કૃષ્ટ શિક્ષક પુરસ્કારથી સન્માનિત
સાહોલ ગામના પ્રા. શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકી ઉત્કૃષ્ટ શિક્ષક પુરસ્કારથી સન્માનિત
Published on: 25th June, 2026

અંકલેશ્વર તાલુકાના સાહોલ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય નિલેશભાઈ ડાહ્યાભાઈ સોલંકીને રોટરી ક્લબ ઓફ્ ભરૂચ દ્વારા ઉત્કૃષ્ટ શિક્ષક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. સમાજ અને રાષ્ટ્રના કલ્યાણ માટે તેમની નિષ્ઠા, નેતૃત્વ અને પ્રતિબદ્ધતા બદલ તેમને આ પ્રમાણપત્ર અને સન્માન મળ્યું. રાષ્ટ્રની ઉન્નતિ માટે સમર્પિત ભાવે કામ કરતા આવા લોકોનું સન્માન જરૂરી છે. આ પુરસ્કાર બદલ નિલેશભાઈ સોલંકીએ શિક્ષણ વિભાગ ભરૂચ અને રોટરી ક્લબ ઓફ્ ભરૂચનો આભાર માન્યો.