છોટાઉદેપુરના બોડેલીમાં જર્જરિત પાણીની ટાંકીની રેલિંગ તૂટી
છોટાઉદેપુરના બોડેલીમાં જર્જરિત પાણીની ટાંકીની રેલિંગ તૂટી
Published on: 25th June, 2026

છોટાઉદેપુરના બોડેલીમાં સોમનાથ સોસાયટી ખાતે આવેલી વર્ષો જૂની પાણીની ટાંકીની રેલિંગ અચાનક તૂટી પડતાં સ્થાનિકોમાં ભયનો માહોલ છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ ઘટનાએ ટાંકીની જર્જરિત હાલત અને સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નાર્થ સર્જ્યા છે. લગભગ 30-35 વર્ષ જૂની આ ટાંકીના પિલરોમાં તિરાડો પડી છે અને તેના કાંકરા તથા પોપડા પણ નીચે પડે છે. લોકો તાત્કાલિક સમારકામ અને નવી ટાંકીની માંગ કરી રહ્યા છે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય.