પાટણના સરિયદ અને દેલીયાથર ગામે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ
પાટણના સરિયદ અને દેલીયાથર ગામે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ
Published on: 25th June, 2026

આગામી સમયમાં મોહરમના તહેવારને ધ્યાનમાં રાખીને પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ શાંતીપૂર્ણ માહોલમાં મહોરમનો તહેવાર સંપન્ન થાય તેવા હેતુથી સરસ્વતી તાલુકા પોલીસ દ્વારા તાલુકાના સરિયદ અને દેલીયાથર ગામે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન સરસ્વતી પીઆઈ જે.આર ચૌધરી સહિતના સ્ટાફે સ્થાનિક આગેવાનો સાથે બેઠક યોજીને શાંતીપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી કરવામાં આવે તેમ જણાવ્યું હતું.