મ.સ. યુનિ.ના સંશોધન મુજબ પૂર અને ભૂગર્ભ જળ સંકટની શક્યતા
મ.સ. યુનિ.ના સંશોધન મુજબ પૂર અને ભૂગર્ભ જળ સંકટની શક્યતા
Published on: 17th August, 2026

વડોદરાની મ.સ. યુનિ.ના સંશોધન મુજબ, છેલ્લા 47 વર્ષમાં વડોદરા શહેરી વિસ્તાર 14 થી 97 ચો.કિમી થયો છે. ગ્રીન કવર ઘટવાથી અર્બન હીટ આઇલેન્ડ સર્જાયું છે અને તાપમાન સરેરાશ 2 ડિગ્રી વધ્યું છે. આ ફેરફારોને કારણે સામાન્ય વરસાદના દિવસો ઘટ્યા છે, પરંતુ ટૂંકા ગાળામાં અતિ ભારે વરસાદની તીવ્રતા વધી છે. આ સ્થિતિ ભવિષ્યમાં ગંભીર પૂર અને ભૂગર્ભ જળના સંકટ તરફ દોરી શકે છે.