મોરબીમાં દેવભાષા સંસ્કૃતના જતન માટે હાઈટેક સંસ્કૃત કક્ષનો પ્રારંભ
મોરબીમાં દેવભાષા સંસ્કૃતના જતન માટે હાઈટેક સંસ્કૃત કક્ષનો પ્રારંભ
Published on: 17th August, 2026

મોરબીની સાર્થક વિદ્યામંદિરે દેવભાષા સંસ્કૃતને જીવંત રાખવા માટે એક અનોખો અને હાઈટેક સંસ્કૃત કક્ષ શરૂ કર્યો છે. આ કક્ષ દ્વારા વિદ્યાર્થીઓને સંસ્કૃત ભાષાના જ્ઞાન સાથે ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર, સાહિત્ય અને પરંપરાઓ વિશે પણ શીખવવામાં આવશે. કાર્યક્રમમાં યજ્ઞ, દીપ પ્રાગટ્ય અને વૈદિક મંત્રોચ્ચાર સાથે શરૂઆત થઈ હતી, જેમાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ હિમાંજયભાઈ પાલિવાલ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓએ સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિ આધારિત વિવિધ કૃતિઓ રજૂ કરી હતી.