નેત્રંગના હાથકુંડીમાં પુલ તૂટતાં 500 લોકોના જીવ પર જોખમ
નેત્રંગના હાથકુંડીમાં પુલ તૂટતાં 500 લોકોના જીવ પર જોખમ
Published on: 17th August, 2026

ભરૂચના નેત્રંગ તાલુકાના હાથકુંડી ગામમાં પુલ ધોવાઈ જવાના કારણે 500થી વધુ લોકોની અવરજવર મુશ્કેલ બની છે. તંત્ર દ્વારા કોઈ વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા ન કરાતા, સ્થાનિકોને બે ઇલેક્ટ્રિક થાંભલાના સહારે જીવના જોખમે ખાડી પાર કરવી પડી રહી છે. બાળકો, યુવાનો અને બીમાર વ્યક્તિઓને સારવાર માટે લઈ જવા આ એકમાત્ર વિકલ્પ છે. સહેજ પણ પગ લપસ્યા તો સીધા પાણીમાં ગરકાવ થવાનો ભય રહે છે. સ્મશાનક્રિયા માટે લાકડા લઈ જવા પણ મુશ્કેલ બન્યા છે.