રણુ ખાતે શ્રી માં તુલજાભવાની મંદિરે અષાઢી ગુપ્ત નવરાત્રિ મહોત્સવનું આયોજન
રણુ ખાતે શ્રી માં તુલજાભવાની મંદિરે અષાઢી ગુપ્ત નવરાત્રિ મહોત્સવનું આયોજન
Published on: 15th July, 2026

વડોદરાના પાદરા તાલુકાના રણુ ગામમાં શ્રી માં તુલજાભવાની માતાજીના મંદિરે ૧૫ થી ૨૩ જુલાઈ દરમિયાન અષાઢી ગુપ્ત નવરાત્રિ મહોત્સવ યોજાશે. આ નવ દિવસીય કાર્યક્રમમાં માતાજીની વિશેષ પૂજા, આરાધના અને શક્તિ ઉપાસના થશે. સનાતન ધર્મ અનુસાર, ગુપ્ત નવરાત્રિ દરમિયાન દેવીના ગુપ્ત સ્વરૂપની આરાધના અને શક્તિ સાધના કરવાથી વિશેષ પુણ્યફળ મળે છે. ઘટસ્થાપન સાથે શરૂ થતા આ મહોત્સવમાં દુર્ગાષ્ટમીની ઉજવણી પણ ભક્તિમય વાતાવરણમાં થશે. મહંત કવિન્દ્રગીરીજીએ ભાવિકોને જોડાઈ આશીર્વાદ મેળવવા અપીલ કરી છે.