ત્રિનેત્રેશ્વર મહાદેવ: અર્જુનના મત્સ્યવેધ અને દ્રૌપદીના સ્વયંવરનું સાક્ષી
ત્રિનેત્રેશ્વર મહાદેવ: અર્જુનના મત્સ્યવેધ અને દ્રૌપદીના સ્વયંવરનું સાક્ષી
Published on: 21st August, 2026

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ગામમાં આવેલું ત્રિનેત્રેશ્વર મહાદેવ શિવાલય મહાભારતકાળની અનેક યાદો ધરાવે છે. આ પ્રાચીન મંદિર દ્રૌપદીના સ્વયંવરનું સાક્ષી રહ્યું છે. એવી માન્યતા છે કે, અર્જુને મત્સ્યવેધ કરીને દ્રૌપદીને પ્રાપ્ત કરી હતી તે આ જ સ્થળે થયું હતું. આ મંદિર 10મી સદીનું હોવાની શક્યતા છે અને તેની સ્થાપના રાજા મંધાતાએ કરી હોવાનું કહેવાય છે. ઋષિપંચમીના પવિત્ર દિવસે અહીંના કુંડમાં ગંગાજી પ્રગટતા હોવાની પણ લોકવાયકા છે.