‘છોટી કાશી’ જામનગરના શિવાલયોમાં શ્રાવણના અંતિમ સોમવારે ‘હર હર મહાદેવ’નો ગુંજારવ
‘છોટી કાશી’ જામનગરના શિવાલયોમાં શ્રાવણના અંતિમ સોમવારે ‘હર હર મહાદેવ’નો ગુંજારવ
Published on: 07th September, 2026

‘છોટી કાશી’ જામનગરમાં પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે ભક્તિનો અદભૂત માહોલ સર્જાયો હતો. શહેરના અનેક શિવાલયોમાં વહેલી સવારથી જ શિવભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ભગવાન ભોળાનાથના દર્શન માટે લાંબી કતારો લાગી હતી અને ‘હર હર મહાદેવ’, ‘બમ બમ ભોલે’ના જયઘોષથી મંદિરો ગુંજી ઉઠ્યા હતા. ભક્તોએ શિવલિંગ પર જળાભિષેક કરી, બિલિપત્ર તથા પૂજા સામગ્રી અર્પણ કરી હતી. અનેક શિવાલયોમાં રુદ્રાભિષેક સહિતની વિશેષ પૂજા-અર્ચના પણ કરવામાં આવી હતી.