ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે શાળાઓમાં કાઉન્સેલિંગ ફરજિયાત
ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે શાળાઓમાં કાઉન્સેલિંગ ફરજિયાત
Published on: 07th September, 2026

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને આત્મહત્યા નિવારણ માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. હવે ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કાઉન્સેલિંગ ફરજિયાત રહેશે. આ સુધારો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો 1974માં નવી જોગવાઈ દાખલ કરીને કરાયો છે. આનાથી શાળાઓમાં તણાવમુક્ત વાતાવરણ ઊભું થશે અને વિદ્યાર્થીઓની વહેલી ઓળખ કરી તેમને સંસ્થાકીય મદદ પૂરી પાડવામાં આવશે. આ નિર્ણય સુપ્રીમ કોર્ટના ચુકાદા અને NCERT માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખી લેવાયો છે.