જામનગરના વસઈ ગામના માનસિક અસ્થિર યુવાને લહેર તળાવમાં ઝંપલાવી કર્યું આત્મહત્યા
જામનગરના વસઈ ગામના માનસિક અસ્થિર યુવાને લહેર તળાવમાં ઝંપલાવી કર્યું આત્મહત્યા
Published on: 07th September, 2026

જામનગર નજીક નાઘેડી પાસે આવેલા લહેર તળાવમાં ગઈકાલે સાંજે એક માનસિક રીતે અસ્થિર યુવકે છલાંગ લગાવી હતી. સ્થાનિક તરવૈયાઓએ તેને બેશુદ્ધ હાલતમાં બહાર કાઢી 108 મારફતે જામનગરની જીજી હોસ્પિટલ પહોંચાડ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. મૃતકની ઓળખ ૨૩ વર્ષીય અવિરાજસિંહ મહિપતસિંહ ગોહિલ, વસઈ ગામના રહેવાસી તરીકે થઈ. છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમારીથી પીડાઈ રહેલા અવિરાજસિંહે બીમારીથી કંટાળી આત્મહત્યા કરી હોવાનું પોલીસ અનુમાન છે. પોલીસે મૃતદેહનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે.