કવાંટમાં સ્વાધ્યાય પરિવારે ‘અંગીરા વૃક્ષમંદિર’ની પ્રતિષ્ઠા કરી
કવાંટમાં સ્વાધ્યાય પરિવારે ‘અંગીરા વૃક્ષમંદિર’ની પ્રતિષ્ઠા કરી
Published on: 05th August, 2026

પૂજનીય તાઈજીના શતાબ્દી વર્ષ નિમિત્તે કવાંટ ખાતે સ્વાધ્યાય પરિવાર દ્વારા એક અદ્ભુત કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં 2 હજાર દંપતિઓએ વૈદિક મંત્રોચ્ચાર સાથે સેંકડો બાલતરુઓની પ્રાણપ્રતિષ્ઠા કરી, જેને પૂજનીય દીદીજીએ ‘અંગીરા વૃક્ષમંદિર’ નામ આપ્યું. તાપીથી દાહોદ વિસ્તારના 2.50 લાખથી વધુ વનવાસીઓ આ ઐક્ય નિર્માણના પ્રયોગના સાક્ષી બન્યા. દીદીજીએ જણાવ્યું કે આ વૃક્ષમંદિર ભગવાનનું નેટવર્ક ઉમેરી સૌને જોડશે. અંગીરા ઋષિના જ્ઞાન અને તેમના વિચારોને જીવંત રાખવા આ નામકરણ કરાયું.