સરસ્વતી નદી તટે આનંદેશ્વર મહાદેવ મંદિરે 13 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી આધ્યાત્મિક મહોત્સવ
સરસ્વતી નદી તટે આનંદેશ્વર મહાદેવ મંદિરે 13 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી આધ્યાત્મિક મહોત્સવ
Published on: 02nd August, 2026

પાટણની પવિત્ર સરસ્વતી નદી કિનારે આનંદેશ્વર મહાદેવ મંદિરે આગામી શ્રાવણ માસ નિમિત્તે વિશેષ આધ્યાત્મિક મહોત્સવનું આયોજન થયું છે. ૧.૨૫ કરોડ (સવા કરોડ) પંચાક્ષર મંત્ર (ૐ નમઃ શિવાય) જપનું મહાઅનુષ્ઠાન 13 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ ઉદ્દેશ્ય સાથે ભક્તો શિવભક્તિમાં લીન થશે અને દિવ્ય ઊર્જાનો સંચાર થશે. શાસ્ત્રો મુજબ, આ જપથી માનસિક શાંતિ, સકારાત્મક ઊર્જા અને પરિવારમાં સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.