સાળંગપુરમાં શ્રીકષ્ટભંજનદેવને ગુલાબના ફૂલો અને વાઘાનો દિવ્ય શણગાર
સાળંગપુરમાં શ્રીકષ્ટભંજનદેવને ગુલાબના ફૂલો અને વાઘાનો દિવ્ય શણગાર
Published on: 02nd August, 2026

બોટાદ જિલ્લાના સાળંગપુરમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં તા. 1લી ઓગસ્ટે શનિવારે દાદાને એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા અને ગુલાબના ફૂલોથી શણગારવામાં આવ્યા હતા. સિંહાસન પર ફૂલોથી 'જય શ્રી રામ' લખવામાં આવ્યું હતું. મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા અને શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા કરવામાં આવી. અનેક ભક્તોએ ધજા અર્પણ કરી દાદાના દર્શનનો લાભ લીધો અને ધન્યતા અનુભવી.