નડિયાદમાં ભકતોએ સંતરામ મંદિરમાં પ્રથમ દૂધ અને ધાન્ય અર્પણ કર્યુ
નડિયાદ સંતરામ મંદિરમાં ગુરૂ પૂર્ણિમા નિમિતે ખેડા જિલ્લા સહિત આણંદ , મહિસાગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભકતો દર્શનાર્થે ઊમટયા હતા. આ ભકતો દૂધ અને ઉનાળા સિઝનનું પ્રથમ અનાજ ડાંગર , બાજરી લઇને આવ્યા હતા. આ ભકતોએ મંદિરમાં દૂધ અને ધાન્ય અર્પણ અને શ્રી સંતરામ મહારાજના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
નડિયાદમાં ભકતોએ સંતરામ મંદિરમાં પ્રથમ દૂધ અને ધાન્ય અર્પણ કર્યુ
રાણપુર-ધંધુકાના ચાર ખનન માફિયાઓને સાત વર્ષની સજા અને દંડ
ભાવનગરના રાણપુર તાલુકાના દેવળિયા ગામે ખાણખનીજ વિભાગની ટીમને જાનથી મારી નાંખવાની ધમકી આપી સરકારી ફરજમાં રૃકાવટ કરનાર રાણપુર અને ધંધુકા પંથકના ચાર ખનન માફિયાઓને બોટાદ કોર્ટ દ્વારા સાત વર્ષની સજા અને રોકડ રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ આરોપીઓ ગેરકાયદેસર રીતે રેતી ચોરી કરતા ઝડપાયા હતા. દંડની રકમ ન ભરનાર આરોપીઓને વધુ સાદી કેદ ભોગવવી પડશે.
રાણપુર-ધંધુકાના ચાર ખનન માફિયાઓને સાત વર્ષની સજા અને દંડ
ભાવનગરના ઘોઘારોડ પોલીસે માથાભારે ઈસમ સામે 'પાસા' હેઠળ કડક પગલાં
ભાવનગર શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને કાયદો-વ્યવસ્થા ડહોળતા ઈસમો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર રેન્જ આઈજીની સૂચના હેઠળ ઘોઘારોડ પોલીસ સ્ટેશન દ્વારા શરીર સંબંધિત ગુનાઓમાં વારંવાર સંડોવાયેલા ૨૩ વર્ષીય કમલેશ રાજુભાઈ રાઠોડ સામે 'પાસા' હેઠળ દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલી હતી. દરખાસ્ત માન્ય રાખી પાસા વોરંટ ઈશ્યુ થયા બાદ પોલીસે બજવણી કરી તેને રાજકોટ સબ જેલ ખાતે મોકલી આપ્યો છે.
ભાવનગરના ઘોઘારોડ પોલીસે માથાભારે ઈસમ સામે 'પાસા' હેઠળ કડક પગલાં
ભાવનગરમાં 'આરંભ ઈન્ડિયા' સ્કીમ હેઠળ રૂ.૩.૪૧ કરોડનું મસમોટું કૌભાંડ
ભાવનગર ખાતે 'આરંભ ઈન્ડિયા' નામની ફર્મના બે ભાઈઓએ ટીવી અને ઈલેક્ટ્રોનિક્સ એસેમ્બલિંગના ધંધામાં માસિક ૪-૫% ઊંચા વળતરની લાલચ આપી ૧૦૦થી વધુ શિક્ષકો અને નાગરિકો સહિત રોકાણકારો પાસેથી રૂ. ૩.૪૧ કરોડથી વધુની રકમ હડપ કરી લીધી છે. રોકાણકારોને ઊંચું વળતર આપવાનું કહી વિશ્વાસઘાત કરીને, ઓફિસ અને ઘર બંધ કરીને બંને ભાઈઓ ફરાર થઈ ગયા છે. ઘોઘારોડ પોલીસે કરોડોની ઠગાઈ અને ગુનાહિત વિશ્વાસઘાતના મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભાવનગરમાં 'આરંભ ઈન્ડિયા' સ્કીમ હેઠળ રૂ.૩.૪૧ કરોડનું મસમોટું કૌભાંડ
AMCએ માનીતાઓને ફાયદો કરાવવા આખેઆખું સ્મશાન ગુમ કરી દીધું
અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા વર્ષો જૂના હંસપુરા સ્મશાનને કોરોના લોકડાઉન દરમિયાન રાતોરાત ગુમ કરી દેવામાં આવ્યું. આ કાર્યવાહી વગદાર લોકો અને બિલ્ડરોને ફાયદો કરાવવા માટે થઈ હોવાનો આરોપ છે. સ્મશાનની જમીનનો હેતુ બદલી દેવાયો અને જમીનના ભાવ વધ્યા. સ્થાનિકોનો આક્ષેપ છે કે AMCએ કોર્પોરેટરોના દબાણમાં આવીને નિયમો વિરુદ્ધ કાર્યવાહી કરી. આ ઘટના સુરતના નાસીરનગર કાંડ જેવી જ છે, જેમાં અનેક સવાલો ઉભા થયા છે.
AMCએ માનીતાઓને ફાયદો કરાવવા આખેઆખું સ્મશાન ગુમ કરી દીધું
અંકલેશ્વર નગરપાલિકા કચેરી સામે રખડતાં ઢોરનો ત્રાસ
અંકલેશ્વર શહેરમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરાઈ હોવા છતાં નગરપાલિકા કચેરી સામે જ ઢોરનો અડ્ડો જોવા મળતા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નગર સેવા સદનની સામે જ અંદાજે 15 જેટલા ઢોર રસ્તા પર ફરતા હોવાથી અકસ્માતની ભીતિ અને વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દે સ્થાનિકોમાં અસંતોષ છે અને તંત્ર પાસેથી તાત્કાલિક કાર્યવાહીની અપેક્ષા છે.
અંકલેશ્વર નગરપાલિકા કચેરી સામે રખડતાં ઢોરનો ત્રાસ
અંકલેશ્વર ગટ્ટુ વિદ્યાલયમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી
અંકલેશ્વર સ્થિત ગટ્ટુ વિદ્યાલય CBSE વિભાગમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે વિશેષ પ્રાર્થના સભા યોજાઈ, જેમાં વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ગુરુજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી. કેમ્પસ ડાયરેક્ટર અને આચાર્ય મિશેલ ગણેશાણીએ ગુરુના મહિમાનું વર્ણન કર્યું. KG વિભાગના વિદ્યાર્થીઓએ પોતાની માતાઓનું પૂજન કરી તેમના આશીર્વાદ મેળવ્યા, કારણ કે માતા પ્રથમ ગુરુ છે. આ કાર્યક્રમનું આયોજન ઉપાચાર્ય સુચિતા રૉયના માર્ગદર્શન હેઠળ જાનવી પટેલ અને શાલુ પારીકે કર્યું.
અંકલેશ્વર ગટ્ટુ વિદ્યાલયમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી
ખેડાના મહેમિયાદમાં પંચમુખી હનુમાનજી મંદિરે ગુરુ પૂજન
મહેમદવાદ શહેરમાં દર વર્ષની જે આ વર્ષે પણ ગુરુપૂર્ણિમા ઉત્સવ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે ઉજવવામાં આવ્યો હતો. દર વર્ષે મહેમદવાદ શહેરમાં આવેલ પંચમુખી હનુમાનજી મંદિરમાં આવેલ આશ્રામમાં રાષ્ટ્રીય સંત ચિન્મયાંનંદજી મહારાજ પધારે છે જ્યાં તેમના શિષ્યો મહારાજનું પૂજન કરતા હોય છે પણ આ વર્ષે મહારાજ હરિદ્વાર ખાતે આવે તેમના આશ્રામમાં પૂજનનો કાર્યક્રમ યોજી રહ્યા છે ત્યારે મહેમદવાદ શહેરમાં પંચમુખી હનુમાનજી મંદિરમાં પૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ખેડાના મહેમિયાદમાં પંચમુખી હનુમાનજી મંદિરે ગુરુ પૂજન
ચારુતર આરોગ્ય મંડળનો 55મો સ્થાપના દિવસ
આણંદ ખાતે ચારુતર આરોગ્ય મંડળ દ્વારા 55મો સ્થાપના દિવસ ધામધૂમથી ઉજવાયો. આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. સંસ્થાના ટ્રસ્ટીઓ, ચેરમેન, ભાઈકાકા યુનિવર્સિટીના હોદ્દેદારો, કર્મચારીઓ, ડોક્ટર્સ અને વિદ્યાર્થીઓની વિશાળ ઉપસ્થિતિ રહી. 25 વર્ષની સેવા પૂર્ણ કરનાર 13 કર્મચારીઓને સન્માનિત કરાયા. ડો. શીરિષ શ્રીવાસ્તવને લાઈફ્ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ મળ્યો, જ્યારે 3 ડોક્ટર્સને સ્ટાર ડોક્ટર્સ અને 3 યુવા તબીબોને ક્ષ્ઈમર્જીંગ ડોક્ટર્સ તરીકે પુરસ્કૃત કરાયા.
ચારુતર આરોગ્ય મંડળનો 55મો સ્થાપના દિવસ
ખેડાના ડાકોરમાં ગુરૂપૂર્ણિમા પર અઢી લાખ ભક્તોએ કર્યા રણછોડરાયજીના દર્શન
યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરમાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે બુધવારે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. જગતગુરુ ભગવાન રણછોડરાયજીના દર્શનાર્થે મંગળાથી શયન દર્શન સુધી અવિરત પ્રવાહ રહ્યો હતો. અઢી લાખથી વધુ દર્શનાર્થીઓએ શ્રીજીના ગુરૂભાવ સાથે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આખો દિવસ શ્રદ્ધાળુઓના જય રણછોડના નાદથી મંદિર ગુંજતું રહ્યું હતું. મંગળા આરતી માટે ભક્તો વહેલી સવારથી ગોઠવાઈ ગયા હતા. 30 હજારથી વધુ ભક્તોએ મંગળા દર્શન કર્યા હતા.
ખેડાના ડાકોરમાં ગુરૂપૂર્ણિમા પર અઢી લાખ ભક્તોએ કર્યા રણછોડરાયજીના દર્શન
નડિયાદના ઠાસરાના ઓઝરાળામાં પિતાએ પત્ની પર કર્યો જીવલેણ હુમલો
ઠાસરા તાલુકાના ઓઝરાળા આનંદપુરા વિસ્તારમાં 48 વર્ષીય નીરુબેન પર તેમના પતિ રમેશ પરમારે લોખંડના સળિયા વડે માથામાં ત્રણ ફટકા મારી જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટના 19-20 જુલાઈ 2026ની રાત્રે બની હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત નીરુબેનને ડાકોર સરકારી હોસ્પિટલ બાદ નડિયાદ અને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં 26 જુલાઈએ તેમનું સારવાર દરમિયાન મોત થયું. પોલીસે મૃતકના પુત્રની ફરિયાદના આધારે પિતા રમેશ પરમાર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે રમેશ છેલ્લા બે વર્ષથી પત્ની પર શક કરતો હતો.
નડિયાદના ઠાસરાના ઓઝરાળામાં પિતાએ પત્ની પર કર્યો જીવલેણ હુમલો
વડતાલ મંદિરમાં ગુરૂપૂર્ણિમાએ દોઢ લાખથી વધુ ભક્તો જોડાયા
સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ વડતાલ મંદિરમાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે દોઢ લાખથી વધુ ભાવિકો ઉમટી પડ્યા હતા. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે ગુરૂપૂજન કર્યું હતું અને સત્સંગમાં સુખ-શાંતિ તેમજ વિકાસ માટે આશીર્વાદ માંગ્યા હતા. મંદિરમાં બિરાજમાન દેવોને સુવર્ણ વાઘા ધરાવાયા હતા. વક્તા નિલકંઠચરણદાસજી મહારાજે ગુરૂ મહિમા કથા કહી હતી. આ પ્રસંગે વિવિધ મંદિરોના સંતો અને ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.
વડતાલ મંદિરમાં ગુરૂપૂર્ણિમાએ દોઢ લાખથી વધુ ભક્તો જોડાયા
આણંદના કનેવાલ તળાવના બ્યુટિફિકેશનને ભારે વરસાદથી નુકસાન
તારાપુર તાલુકામાં ૧૫ ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે, જેમાં ઐતિહાસિક કનેવાલ તળાવના કરોડોના બ્યુટિફિકેશન કાર્યોને પણ નુકસાન પહોંચ્યાનો સ્થાનિકોનો આક્ષેપ છે. ગત વર્ષે થયેલા વિકાસ કાર્યો, જેમાં તળાવનું સૌંદર્યકરણ, વોકવે અને બગીચાનો સમાવેશ થાય છે, તે પ્રથમ જ વરસાદમાં ધોવાઈ ગયા હોવાના અહેવાલોથી લોકોમાં રોષ છે. લોકો ગુણવત્તા અને આયોજન પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે, અને રૂ. 98 કરોડના પ્રોજેક્ટની જવાબદારી અને તપાસની માંગ કરી રહ્યા છે.
આણંદના કનેવાલ તળાવના બ્યુટિફિકેશનને ભારે વરસાદથી નુકસાન
હિંમતનગરના દરામલીના વેપારી પાસેથી ઉંચુ વ્યાજ વસૂલવા અંગે ફરિયાદ નોંધાઈ
ઈડર તાલુકાના દરામલી ગામના એક વેપારીએ બે વ્યક્તિઓ વિરુદ્ધ વધુ વ્યાજ વસૂલવા અને ધાકધમકી આપવા બદલ જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વેપારીનો આરોપ છે કે, નિર્મલ રાજેન્દ્રભાઈ નાયક અને યશ મહેશભાઈ સોલંકીએ તેમને આપેલા રૂપિયા કરતાં બમણું વ્યાજ વસૂલ્યું છે. નિર્મલે તો વેપારીનું એકટીવા પણ લઈ લીધું હતું. આ બંને દ્વારા સતત ઉઘરાણી અને ધાકધમકીથી ત્રાસીને વેપારીએ કાયદેસર કાર્યવાહીની માંગ કરી છે.
હિંમતનગરના દરામલીના વેપારી પાસેથી ઉંચુ વ્યાજ વસૂલવા અંગે ફરિયાદ નોંધાઈ
મુખ્યમંત્રીએ વિજયનગરના ઈટાવડી ગામે રામેશ્વર મહાદેવના દર્શન કરી રાજ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી
ગુરૂપૂર્ણિમા પર્વ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી વિજયનગર તાલુકાના ઈટાવડી ગામે બિરાજમાન રામેશ્વર મહાદેવના દર્શન કરવા પહોંચ્યા હતા. પરંપરાગત શ્રદ્ધા અને ભક્તિ સાથે તેમણે ભગવાન મહાદેવના ચરણોમાં રાજ્યની જનસુખાકારી, સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. મુખ્યમંત્રીએ આધ્યાત્મિક ઊર્જા મેળવી અને મંદિરના સ્થાપક સુકદેવજી મહારાજના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. તેમણે બાપા સુખદેવજી ધામના ગાદીપતિ જગનાજી બાપુની પણ મુલાકાત લીધી.
મુખ્યમંત્રીએ વિજયનગરના ઈટાવડી ગામે રામેશ્વર મહાદેવના દર્શન કરી રાજ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી
તલોદ તાલુકામાં આંત્રોલી-રામપુરા માર્ગ પર મોટા ખાડા
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં આંત્રોલીથી રામપુરા કંપા સુધીનો મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે. માર્ગ પર અનેક મોટા ખાડાઓને કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે, ખાસ કરીને રાત્રિના સમયે પ્રકાશના અભાવે અકસ્માતનો ભય વધી ગયો છે. આ માર્ગ પરથી દરરોજ વિદ્યાર્થીઓ, ખેડૂતો અને નાના-મોટા વાહનોની અવરજવર રહે છે. સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા સમારકામ ન થતાં ભારે નારાજગી વ્યક્ત કરી છે. ગ્રામજનો તાત્કાલિક માર્ગના સમારકામની માંગ કરી રહ્યા છે, જેથી કોઈ ગંભીર અકસ્માત સર્જાય નહીં.
તલોદ તાલુકામાં આંત્રોલી-રામપુરા માર્ગ પર મોટા ખાડા
ગોધરાના રમણ પટેલ વિદ્યાલયમાં ગુરુપૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી
ગોધરા તાલુકાના ચંચોપા સ્થિત રમણ પટેલ વિદ્યાલયમાં ગુરુપૂર્ણિમા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત ગુરુવંદના અને દીપ પ્રાગટ્યથી થઈ, ત્યારબાદ ગુરુના ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરાઈ. વિદ્યાર્થીઓએ શિક્ષકો અને મહાનુભાવોને તિલક કરી ગુરુવંદન કર્યું. ગુરુના મહિમા પર વિદ્યાર્થીઓએ વક્તવ્ય, ભજન અને પ્રેરણાદાયી વિચારો રજૂ કરી વાતાવરણને ભક્તિમય બનાવ્યું. આચાર્યશ્રીએ ગુરુના માર્ગદર્શનથી મળતી સફળતા અને સંસ્કારો વિશે જણાવ્યું, તથા વિદ્યાર્થીઓને ગુરુ પ્રત્યે આદર અને શિસ્ત જાળવવા અનુરોધ કર્યો.
ગોધરાના રમણ પટેલ વિદ્યાલયમાં ગુરુપૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી
દાહોદની શ્રી કૃષ્ણ પ્રણામી આર્ટ્સ કૉલેજમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી
દાહોદમાં શ્રી કૃષ્ણ પ્રણામી આર્ટસ કોલેજ ખાતે ભારતીય સંસ્કૃતિના પવિત્ર પર્વ ગુરુપૂર્ણિમાની ભવ્ય અને ભાવસભર ઉજવણી કરવામાં આવી. પ્રિન્સિપાલ, અધ્યાપકગણ અને વિદ્યાર્થીનીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાર્થીનીઓએ ગુરુ વંદના અને સરસ્વતી પૂજન સાથે શરૂઆત કરી. તેમણે ગુરુપૂર્ણિમાના મહત્વ પર વક્તવ્યો રજૂ કર્યા. પ્રિન્સિપાલ ડૉ. પારૂલ સિંહએ ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી પ્રાસંગિક પ્રવચન આપ્યું.
દાહોદની શ્રી કૃષ્ણ પ્રણામી આર્ટ્સ કૉલેજમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી
ઇડરના નેત્રામલી ગામમાં HDFC બેંકનું ATM ફરી ધમધમતું થયું
ઇડર તાલુકાના નેત્રામલી ગામે લાંબા સમયથી બંધ પડેલું HDFC બેંકનું ATM હવે ફરીથી સક્રિય થઈ ગયું છે. સંદેશ સમાચાર પત્રમાં રજૂ થયેલા અહેવાલ અને ગ્રાહકોની માંગને ધ્યાનમાં રાખીને આ ATM ફરી શરૂ કરાયું છે. આનાથી સ્થાનિક લોકો, વેપારીઓ અને આસપાસના વિસ્તારના ગ્રાહકોમાં ખુશીની લહેર છે. અગાઉ ATM બંધ હોવાથી રોકડ મેળવવા માટે લોકોને ભારે મુશ્કેલી પડતી હતી અને લાંબુ અંતર કાપવું પડતું હતું. આ સમસ્યા હવે હલ થઈ ગઈ છે.
ઇડરના નેત્રામલી ગામમાં HDFC બેંકનું ATM ફરી ધમધમતું થયું
લુણાવાડા સ્વામી વિવેકાનંદ હાઇસ્કુલમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી
લુણાવાડા સ્થિત શ્રી વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સ્વામી વિવેકાનંદ હાઇસ્કુલમાં ગુરુપૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી થઈ. કેજીથી ઉચ્ચતર માધ્યમિક સુધીના વિદ્યાર્થીઓએ ગુરુઓના સર્વોપરી સ્થાનને વ્યક્ત કરતી કૃતિઓ રજૂ કરી. વકતૃત્વ સ્પર્ધા, પ્રેરણાદાયી નાટક, સુમધુર ભજનો અને ગુરુ મહિમા વિશેના કાર્યક્રમો યોજાયા. ગૌરી વ્રત નિમિત્તે મહેદી, આરતીની થાળી સુશોભન, તોરણ અને કેશ ગુંથન સ્પર્ધા યોજાઈ. આચાર્ય પંકજ પટેલે વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું.
લુણાવાડા સ્વામી વિવેકાનંદ હાઇસ્કુલમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી
હિંમતનગર BRCમાં દિવ્યાંગ બાળકો માટે ખાસ એસેસમેન્ટ કેમ્પનું આયોજન
હિંમતનગર ખાતે જિલ્લા શિક્ષણાધિકારી અને સમગ્ર શિક્ષાના માર્ગદર્શન હેઠળ બીઆરસી ભવન, કાંકણોલમાં દિવ્યાંગ બાળકો માટે એક મહત્વપૂર્ણ એસેસમેન્ટ કેમ્પ યોજાયો હતો. સાબરકાંઠા આઈઈડી વિભાગ અને એલિમ્કો સંસ્થા ઉજૈનના સહયોગથી આયોજિત કેમ્પમાં સરકારી સહાય અંગે માર્ગદર્શન અપાયું. કુલ ૨૫૪ બાળકોને તેમની જરૂરિયાત મુજબ કેલિપર્સ, વ્હીલચેર, ટ્રાયસિકલ, શ્રાવણયંત્ર, ટીએલએમ કીટ, બગલ ઘોડી, બ્રેઈલ કિટ અને વોકર જેવા સાધનોનું વિતરણ કરવામાં આવ્યું.
હિંમતનગર BRCમાં દિવ્યાંગ બાળકો માટે ખાસ એસેસમેન્ટ કેમ્પનું આયોજન
ગુરુપૂર્ણિમાએ તાજપુરા નારાયણ ધામમાં દોઢ લાખ ભક્તો
પંચમહાલના હાલોલ તાલુકાના તાજપુરા સ્થિત નારાયણ ધામ ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે દોઢ લાખથી વધુ ભક્તો દર્શન અને ગુરુ વંદના માટે ઉમટી પડ્યા હતા. ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ભક્તોએ ભક્તિભાવ સાથે પ. પૂ. નારાયણ બાપુની પાદુકા પૂજન, પાલખી યાત્રા અને સમાધિ દર્શન કર્યા. વરસાદ બાદ ખુશનુમા વાતાવરણમાં મહાપ્રસાદનો લાભ લઈને ભક્તોએ ધન્યતા અનુભવી. સુરક્ષા માટે 650 પોલીસ જવાનો તૈનાત કરાયા હતા.
ગુરુપૂર્ણિમાએ તાજપુરા નારાયણ ધામમાં દોઢ લાખ ભક્તો
મોડાસા આર્ટ્સ કૉલેજમાં સાયબર સિક્યુરિટી અને AI પર યોજાયું વ્યાખ્યાન
શ્રી મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત એસ.કે.શાહ એન્ડ શ્રી કૃષ્ણ ઓ.એમ.આર્ટ્સ કૉલેજ, મોડાસા ખાતે 'AI BOON OR CURSE?' વિષય પર સાયબર સિક્યુરિટી અંતર્ગત એક મહત્વપૂર્ણ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ડૉ. અર્પિતભાઈ જોશીએ AI અંગે વિદ્યાર્થીઓને વિસ્તૃત અને ઉપયોગી માહિતી પૂરી પાડી. કાર્યક્રમનું સંચાલન ડૉ. વંદનાબેન પરમારે કર્યું હતું અને આચાર્ય ડૉ. જે.જે. દેસાઈ સહિત અન્ય મહાનુભાવોએ તેને સફળ બનાવવા બદલ અભિનંદન પાઠવ્યા.
મોડાસા આર્ટ્સ કૉલેજમાં સાયબર સિક્યુરિટી અને AI પર યોજાયું વ્યાખ્યાન
પાવાગઢમાં ગુરુપૂર્ણિમાએ ભક્તોનું ઘોડાપૂર
હાલોલ ખાતે આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં વરસાદી મોસમ વચ્ચે ડુંગર વાદળો સાથે સંતાકૂકડી રમતો હોય તેવો નઝારો જોવા મળ્યો. આ પ્રાકૃતિક સૌંદર્ય માણવા અને માતાજીના દર્શન કરવા મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી પડ્યા હતા. ગુરુપૂર્ણિમા પર્વ નિમિત્તે એક લાખથી વધુ માઇ ભક્તોએ માતાજીના દર્શન કર્યા. સવારે 5 વાગ્યે નિજ મંદિરના દ્વાર ખુલતાં જ જય માતાજીના નાદથી પરિસર ગુંજી ઉઠ્યું. તળેટીના આશ્રામોમાં પણ ગુરુવંદના માટે ભક્તોની ભીડ જોવા મળી.
પાવાગઢમાં ગુરુપૂર્ણિમાએ ભક્તોનું ઘોડાપૂર
હિંમતનગરના કાંકણોલ ધામમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિત્તે ભક્તિ અને સેવાના કાર્યો
હિંમતનગર નજીક નેશનલ હાઇવે-48 પર સ્થિત કાંકણોલ ધામ 'ઓમ શ્રી સિદ્ધક્ષેત્ર પ્રગટ ધામ' ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ ભક્તિમય માહોલમાં ઉજવાયો. 98 વર્ષથી વધુ વયના પૂજ્ય નરસિંહ દાદાના દર્શન માટે રાજ્યભરમાંથી હજારો ભાવિકો ઉમટ્યા હતા. મહોત્સવ દરમિયાન ભજન, સત્સંગ અને ગુરુભક્તિની ત્રિવેણી વહેતી જોવા મળી. કાંકણોલ ધામ દ્વારા માનવસેવા અને જીવદયાના કાર્યો, જેમ કે પક્ષીઓને ચણ, રોટલા સેવા અને જરૂરિયાતમંદોને સામગ્રી, ની પણ નોંધ લેવાઈ.
હિંમતનગરના કાંકણોલ ધામમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિત્તે ભક્તિ અને સેવાના કાર્યો
હિંમતનગરના ઝરણેશ્વર મહાદેવ મંદિરે ગુરૂપૂર્ણિમાએ 10,800 લાડુનો પ્રસાદ અર્પણ
સાબરકાંઠા જિલ્લામાં ગુરૂપૂર્ણિમાના પાવન અવસરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. હિંમતનગરના ઝરણેશ્વર મહાદેવ મંદિરે ભક્તો માટે ખાસ 10,800 લાડુનો પ્રસાદ તૈયાર કરાયો હતો, જેનો લાભ 6 હજારથી વધુ ભક્તોએ લીધો હતો. આ ઉપરાંત, જિલ્લાના અન્ય સ્થળોએ પણ પૂજા-અર્ચના, કથા અને મહાપ્રસાદનું વિતરણ કરાયું હતું. હિંમતનગરના જલારામ મંદિરે સમૂહ આરતી બાદ મહાપ્રસાદ વહેંચાયો, જ્યારે હરસિદ્ધિ માતાજીના મંદિરે નવચંડી હવન યોજાયો.
હિંમતનગરના ઝરણેશ્વર મહાદેવ મંદિરે ગુરૂપૂર્ણિમાએ 10,800 લાડુનો પ્રસાદ અર્પણ
TUFS સબસિડીમાં સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગકારો પાસેથી 2500 કરોડની વસૂલાત
કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રાલય દ્વારા TUFS સ્કીમ હેઠળ અપાયેલી સબસિડીમાં અત્યાર સુધીની સૌથી મોટાપાયે તપાસ હાથ ધરાઈ છે. દેશભરમાં શંકાસ્પદ 7 હજાર ફાઈલોમાં તપાસ બાદ રૂ. 5100 કરોડની સબસિડી રિકવરી કાઢવામાં આવી છે. સુરત ટેક્સટાઈલ ઉદ્યોગમાંથી અંદાજે રૂ. 2500 કરોડથી વધુની વસૂલાતની સંભાવના છે. મંત્રાલય મૂળ રકમ ઉપરાંત, સબસિડી ચૂકવણીના વર્ષથી અત્યાર સુધીના સમયગાળા પર 10% લેખે પેનલ્ટી અને વ્યાજ પણ વસૂલશે. મશીનરી ઉત્પાદકોની રજૂઆતો બાદ થયેલી આ તપાસમાં જૂના મશીનોને નવા બતાવી ખોટી સબસિડી મેળવવાના કિસ્સાઓ બહાર આવ્યા છે.
TUFS સબસિડીમાં સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગકારો પાસેથી 2500 કરોડની વસૂલાત
વલસાડમાં મેઘતાંડવના લીધે અગરિયા પરિવારોની રોજગારી અને જીવનનિર્વાહ પર સંકટ
વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં આવેલ મીઠા ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. છરવાડા, ધરાસણા, કરદીવા, ભાગલ જેવા ગામોમાં મીઠાના અગરો પાણીમાં ગરકાવ થતાં તૈયાર થયેલો લાખો ટન મીઠો ધોવાઈ ગયો છે. આ કુદરતી આફતથી મીઠા ઉત્પાદકોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે અને હજારો અગરિયા પરિવારોના રોજગારી તથા જીવનનિર્વાહ પર ગંભીર સંકટ ઊભું થયું છે. રાજ્યના મહત્વના મીઠા ઉત્પાદન ક્ષેત્રમાં આ વર્ષે થયેલ વિનાશ અગરીયાઓની આખા વર્ષની કમાણીને રેલમાં તણાઈ ગઈ છે.
વલસાડમાં મેઘતાંડવના લીધે અગરિયા પરિવારોની રોજગારી અને જીવનનિર્વાહ પર સંકટ
વલસાડ પૂરમાં વિદ્યાર્થીઓના પુસ્તકો, બેગ તણાયા
વલસાડ જિલ્લામાં થયેલ અતિભારે વરસાદ અને પૂરના કારણે શાળાઓ પણ અસરગ્રસ્ત થઈ છે. અનેક શાળાઓમાં પાણી ઘૂસી જતાં શૈક્ષણિક કામગીરી ખોરવાઈ છે. સર્વે મુજબ, 7 હજારથી વધુ વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકો, નોટબુક અને બેગ વિનાના બન્યા છે. આ સ્થિતિમાં, જિલ્લા શિક્ષણ વિભાગે ગાંધીનગર શિક્ષણ નિયામકને જાણ કરીને યુધ્ધના ધોરણે કાર્યવાહી શરૂ કરી છે. અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ માટે નવા પાઠ્યપુસ્તકોની માંગણી કરવામાં આવી છે, જેથી કોઈપણ વિદ્યાર્થીના અભ્યાસમાં વિક્ષેપ ન આવે.
વલસાડ પૂરમાં વિદ્યાર્થીઓના પુસ્તકો, બેગ તણાયા
અમરેલીના લીલીયાના વકીલોએ હાઈકોર્ટ બેન્ચ માટે મામલતદારને આવેદન પત્ર આપ્યું
લીલીયા બાર એસોસીએશનના વકીલોએ હાઈકોર્ટની બેન્ચ રાજકોટમાં સ્થાપવાની માંગ સાથે મામલતદારને આવેદન પત્ર સુપરત કર્યું. વકીલોના જણાવ્યા મુજબ, હાઈકોર્ટમાં 40% કેસ સૌરાષ્ટ્ર-કચ્છના હોય છે. રાજકોટમાં બેન્ચ સ્થપાતા કેસોનો ઝડપી નિકાલ થશે અને લોકોને અમદાવાદ ધક્કા ખાવા નહીં પડે. સૌરાષ્ટ્રની 2 કરોડની વસ્તીને ન્યાય મેળવવામાં સરળતા રહેશે. ચૂંટણી સમયે રાજકોટને બેન્ચ આપવાના સરકારના વચનો અને રાજકોટમાં ઉપલબ્ધ સુવિધાઓને ધ્યાનમાં રાખી તાત્કાલિક નિર્ણય લેવા અપીલ કરાઈ.
અમરેલીના લીલીયાના વકીલોએ હાઈકોર્ટ બેન્ચ માટે મામલતદારને આવેદન પત્ર આપ્યું
બાલજી મંદિર સંકુલમાં ECHS પોલિક્લિનિકને ખસેડવા બાબતે વિવાદ
રાજકોટના બાલાજી મંદિર સંકુલમાં આવેલા ECHS પોલિક્લિનિકને ખસેડવા અંગે વિવેકસાગર સ્વામી અને પૂર્વ સૈનિકો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. સ્વામીએ જગ્યા ખાલી કરવા અને સરકાર દ્વારા નવી જમીન ફાળવવાના પ્રલોભનો આપ્યા હોવાનો આરોપ છે, પરંતુ ECHS સંચાલકોએ સ્પષ્ટ કર્યું છે કે તેમની 2028 સુધીની લીઝ છે અને તેઓ જગ્યા છોડવાના નથી. લીઝની મુદત વધારવાની પણ માંગણી કરવામાં આવી રહી છે. આ મામલે બંને પક્ષોએ કલેક્ટર સમક્ષ રજૂઆતો કરી છે.