સુરત: શ્રાવણના પ્રથમ સોમવારે 'હર હર મહાદેવ'ના નાદથી શિવ મંદિરો ભક્તોથી ઉભરાયા.
સુરત: શ્રાવણના પ્રથમ સોમવારે 'હર હર મહાદેવ'ના નાદથી શિવ મંદિરો ભક્તોથી ઉભરાયા.
Published on: 28th July, 2025

સુરત: શ્રાવણ માસના પ્રથમ સોમવારે શહેરના શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. વહેલી સવારથી જ મંદિરોમાં લાંબી લાઈનો લાગી અને શિવલિંગ પર દૂધ તથા અન્ય સામગ્રીથી અભિષેક કરવામાં આવ્યો. શ્રાવણ મહિનામાં સુરતીઓ વધુ ધાર્મિક બને છે અને મંદિરોમાં દર્શન કરવા જાય છે, ખાસ કરીને સોમવારે ભક્તોની વિશેષ ભીડ હોય છે.