રક્ષાબંધન પર ચંદ્રગ્રહણ: સૂતક કાળ અને રાખડી બાંધવાના શુભ મુહૂર્ત
રક્ષાબંધન પર ચંદ્રગ્રહણ: સૂતક કાળ અને રાખડી બાંધવાના શુભ મુહૂર્ત
Published on: 08th August, 2026

રક્ષાબંધન ૨૦૨૬ના પવિત્ર દિવસે ચંદ્રગ્રહણનો દુર્લભ ખગોળીય સંયોગ બની રહ્યો છે. આ ગ્રહણ ૨૮ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ ભારતીય સમય મુજબ સવારે ૦૬:૫૩ થી બપોરે ૧૨:૩૧ સુધી ચાલશે. પૃથ્વીનો ઊંડો પડછાયો ચંદ્રના મોટાભાગના ભાગને આવરી લેતા બ્લડ મૂન (Blood Moon)નો નજારો જોવા મળશે. જોકે, આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી તેનો સૂતક કાળ પણ માન્ય ગણાશે નહીં. આ કારણે રક્ષાબંધનના તહેવાર કે રાખડી બાંધવા પર કોઈ નકારાત્મક અસર થશે નહીં.