ઉપવાસમાં સિંધવ મીઠું શા માટે?
ઉપવાસમાં સિંધવ મીઠું શા માટે?
Published on: 06th August, 2026

હિંદુ ધર્મમાં ઉપવાસ મન, શરીર અને આત્માની શુદ્ધિ માટે કરાય છે. આવા સમયે સાત્વિક અને પ્રાકૃતિક ભોજન લેવાય છે, જેમાં સિંધવ મીઠું મુખ્ય છે. શ્રાવણ, નવરાત્રી, એકાદશી, મહાશિવરાત્રી જેવા ઉપવાસમાં ફક્ત સિંધવ મીઠાનો જ ઉપયોગ થાય છે. તેનું કારણ એ છે કે સિંધવ મીઠું પર્વતોમાંથી કુદરતી રીતે મળે છે, જેમાં કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી નથી. તેથી તે શુદ્ધ અને પૂજા માટે યોગ્ય છે. સામાન્ય મીઠું સમુદ્રમાંથી બનતું હોવાથી અનેક ઔદ્યોગિક પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે, જે તેને સાત્વિક નથી ગણાતું.