સાબરકાંઠાના કાંકણોલ ધામમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે 200 કિલો અનાજનું પક્ષી ચણ
સાબરકાંઠાના કાંકણોલ ધામમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે 200 કિલો અનાજનું પક્ષી ચણ
Published on: 30th July, 2026

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક કાંકણોલ ધામ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો. 98 વર્ષીય પૂજ્ય નરસિંહ દાદાના દર્શનાર્થે હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. પૂજ્ય દાદાના સાનિધ્યમાં ભક્તિ, ભજન અને સત્સંગ યોજાયો હતો. માનવ જીવનની સાર્થકતા અને મોક્ષ માર્ગ પર બોધવચનો અપાયા હતા. દરરોજ 200 કિલો અનાજ પક્ષીઓ માટે, જરૂરિયાતમંદોને સીધો સામાન અને રોટલા સેવા જેવા જીવદયા અને માનવસેવાના કાર્યોની પ્રશંસા કરાઈ હતી. આ મહોત્સવમાં સત્સંગ અને મહાપ્રસાદનો લાભ હજારો મુમુક્ષુઓએ લીધો હતો.