મહોર્રમ પર્વની શાંતિપૂર્ણ ઉજવણી માટે શાંતિ સમિતિની બેઠક યોજાઈ
મહોર્રમ પર્વની શાંતિપૂર્ણ ઉજવણી માટે શાંતિ સમિતિની બેઠક યોજાઈ
Published on: 21st June, 2026

આગામી મહોર્રમ અને તાજીયાના જુલુસને ધ્યાનમાં રાખીને જામનગર સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે DySP જયવીરસિંહ ઝાલાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ. જેમાં વિવિધ સમાજના અગ્રણીઓ, રાજકીય આગેવાનો, નગરસેવકો, વેપારીઓ અને યુવાનો ઉપસ્થિત રહ્યા. બેઠકમાં તાજીયા-મહોરમ તહેવાર શાંતિપૂર્ણ અને કોમી એકતાના વાતાવરણમાં સંપન્ન થાય તે અંગે ચર્ચા થઈ. DySP ઝાલાએ તહેવારો દરમિયાન શાંતિ જાળવવા અને સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ પોસ્ટ કરનારાઓ સામે કડક કાર્યવાહીની ચીમકી આપી.