રેલીમાં નાચવા બોલાવે પણ ટિકિટ નહીં, અંતિમ સંસ્કાર માટે જગ્યા પણ નથી: કિન્નરોનો બળાપો.
રેલીમાં નાચવા બોલાવે પણ ટિકિટ નહીં, અંતિમ સંસ્કાર માટે જગ્યા પણ નથી: કિન્નરોનો બળાપો.
Published on: 09th April, 2026

સુરતમાં હજારો કિન્નર હોવા છતાં સુવિધાઓથી વંચિત છે. ચૂંટણી ટાણે નેતાઓ વોટ માટે આવે છે, પછી કોઈ જોતું નથી. તેઓને રેલીમાં નાચવા બોલાવે છે પણ ટિકિટ આપતા નથી. પાણીની સમસ્યા, રહેવાની તકલીફ અને અંતિમ સંસ્કાર માટે જગ્યા પણ નથી. કિન્નરોને શિક્ષણ અને રોજગારમાં પણ તક મળવી જોઈએ. 'બેટી બચાવો'ની જેમ 'કિન્નરો કો પઢાઓ, આગે બઢાઓ' કેમ નહીં?