સાંસદને રેલવે પડતર જમીન અંગે રજૂઆત.
સાંસદને રેલવે પડતર જમીન અંગે રજૂઆત.
Published on: 31st May, 2026

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર-2માં રેલવેની પડતર જમીન લાંબા સમયથી સ્થાનિક રહીશો માટે સમસ્યા બની રહી છે. આ જમીનને કારણે ગંદકી, ભય અને સુરક્ષા જેવી અનેક મુશ્કેલીઓ ઉભી થાય છે. આ જટિલ પ્રશ્નના ઉકેલ માટે વોર્ડ 2ના કોર્પોરેટર નીરવભાઈ દવે અને સિદ્ધરાજસિંહ દ્વારા સાંસદ ચંદુભાઈ શિહોરાને રૂબરૂ મુલાકાત યોજી લેખિત રજૂઆત કરાઈ. રહીશોએ જમીનનો યોગ્ય નિકાલ અથવા લોકઉપયોગી કાર્યોની માંગ કરી. સાંસદ શિહોરાએ આ બાબતને ગંભીરતાથી લઈને રેલવે અધિકારીઓ સાથે ચર્ચા કરી સકારાત્મક ઉકેલ લાવવાની ખાતરી આપી.