IAS અધિકારીઓની બદલી, વધારાનો ચાર્જ અને નવી નિમણૂક.
IAS અધિકારીઓની બદલી, વધારાનો ચાર્જ અને નવી નિમણૂક.
Published on: 18th May, 2026

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે IAS અધિકારીઓની બદલી, વધારાના ચાર્જ અને નવી નિમણૂકો અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. IAS બી.એ. શાહને કમિશનર ઓફ લેન્ડ રિફોર્મ્સ અને મહેસૂલ વિભાગના એક્સ-ઓફિસિયો સેક્રેટરી તરીકે કાયમી નિમણૂક આપવામાં આવી છે. IAS આર્દ્રા અગ્રવાલને સેટલમેન્ટ કમિશનર અને ડાયરેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડ્સનો વધારાનો ચાર્જ સોંપાયો છે. ડૉ. રતનકંવર ગઢવીચરણને કમિશનર, ન્યુટ્રિશન મિશનનો વધારાનો ચાર્જ મળ્યો છે. ઉપરાંત IAS અરવિંદ વી.ને નાણાં વિભાગ (બજેટ)ના સંયુક્ત સચિવ તરીકે નવી નિમણૂક આપવામાં આવી છે.