સુરેન્દ્રનગર: પત્ની અને પ્રેમી દ્વારા પતિની હત્યાનો ભેદ ઉકેલાયો
સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતે મોતના નામે ફાઇલ થયેલા એક રહસ્યમય કેસનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. સુરેન્દ્રનગરની કેનાલમાંથી મળી આવેલો અજાણ્યો મૃતદેહ અકસ્માત નહીં, પરંતુ આયોજનબદ્ધ રીતે કરવામાં આવેલી હત્યા હોવાનું સામે આવ્યું છે. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ તપાસના આધારે ક્રાઇમ બ્રાન્ચે ઘટસ્ફોટ કર્યો છે કે મૃતકની પત્નીએ જ પોતાના પ્રેમી સાથે મળીને પતિને રસ્તામાંથી હટાવવાનો કારસો ઘડ્યો હતો. આ મામલે પોલીસે મૃતકની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી જેલભેગા કર્યા છે.
સુરેન્દ્રનગર: પત્ની અને પ્રેમી દ્વારા પતિની હત્યાનો ભેદ ઉકેલાયો
વિશ્વામિત્રીમાંથી 10 ફૂટનો મૃત મગર મળ્યો, 3 મહિનામાં 6ઠ્ઠો.
વડોદરાની વિશ્વામિત્રી નદીમાં મગરોના સતત મોતથી ચિંતા વધી રહી છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટસ નજીકથી આશરે 10 ફૂટ લાંબો મગર મૃત હાલતમાં મળ્યો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને વન્યજીવ સંસ્થાની ટીમે મૃતદેહ બહાર કાઢ્યો હતો. મહત્વની બાબત એ છે કે છેલ્લા ત્રણ મહિનામાં વિશ્વામિત્રી નદીમાંથી કુલ 6 મગરોના રહસ્યમય મોત નોંધાયા છે. પ્રાથમિક અનુમાન મુજબ પ્રાદેશિક લડાઈ અથવા પ્રદૂષિત અને કેમિકલયુક્ત પાણી મોતનું કારણ હોઈ શકે છે. વન વિભાગે વધુ તપાસ શરૂ કરી છે.
વિશ્વામિત્રીમાંથી 10 ફૂટનો મૃત મગર મળ્યો, 3 મહિનામાં 6ઠ્ઠો.
IAS અધિકારીઓની બદલી, વધારાનો ચાર્જ અને નવી નિમણૂક.
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે IAS અધિકારીઓની બદલી, વધારાના ચાર્જ અને નવી નિમણૂકો અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. IAS બી.એ. શાહને કમિશનર ઓફ લેન્ડ રિફોર્મ્સ અને મહેસૂલ વિભાગના એક્સ-ઓફિસિયો સેક્રેટરી તરીકે કાયમી નિમણૂક આપવામાં આવી છે. IAS આર્દ્રા અગ્રવાલને સેટલમેન્ટ કમિશનર અને ડાયરેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડ્સનો વધારાનો ચાર્જ સોંપાયો છે. ડૉ. રતનકંવર ગઢવીચરણને કમિશનર, ન્યુટ્રિશન મિશનનો વધારાનો ચાર્જ મળ્યો છે. ઉપરાંત IAS અરવિંદ વી.ને નાણાં વિભાગ (બજેટ)ના સંયુક્ત સચિવ તરીકે નવી નિમણૂક આપવામાં આવી છે.
IAS અધિકારીઓની બદલી, વધારાનો ચાર્જ અને નવી નિમણૂક.
NEET-UG પેપર લીક: બ્યુટીશિયન, NTA સભ્ય સહિત 11ની ધરપકડ!
NEET-UG પેપર લીક કાંડમાં CBI એ બ્યુટીશિયન મનીષા વાઘમરે અને NTAની સભ્ય મનીષા મંધારે સહિત કુલ 11 લોકોની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે મનીષા વાઘમરે વચેટીયા તરીકે કાર્ય કરતી હતી અને 'M Sir' તરીકે જાણીતા કોચિંગ ક્લાસના ફાઉન્ડર શિવરાજ મોટેગાંવકર પણ મુખ્ય આરોપીના સંપર્કમાં હતા. NTA સભ્ય હોવાને કારણે મંધારેને પ્રશ્નપત્રની માહિતી હતી, જેનો ઉપયોગ તેણે નાણાકીય લાભ માટે કર્યો.
NEET-UG પેપર લીક: બ્યુટીશિયન, NTA સભ્ય સહિત 11ની ધરપકડ!
આઝાદીના વર્ષો બાદ પણ ભેદભાવનું દૂષણ.
સાબરકાંઠાના તલોદ તાલુકાના રૂપાલ ગામમાં અનુસૂચિત સમાજના લોકો સાથે ભેદભાવ અને ઉત્પીડનના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. પીડિતોનો આરોપ છે કે ગામના કેટલાક અસામાજિક તત્વો તેમને બંધારણીય અધિકારોથી વંચિત રાખી સામાજિક, આર્થિક અને ધાર્મિક સ્તરે ભેદભાવ કરી રહ્યા છે. એટ્રોસિટી એક્ટ હેઠળ છ ફરિયાદો અને અનેક રજૂઆતો છતાં યોગ્ય કાર્યવાહી ન થતાં પીડિતોએ ગામ છોડીને હિજરત કરવાની ચીમકી આપી છે. આ મામલે હિંમતનગર જિલ્લા કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરવામાં આવી છે. અગાઉ સમાધાનના પ્રયાસો થયા હતા, છતાં ગામમાં ફરી તણાવનું વાતાવરણ સર્જાયું છે.
આઝાદીના વર્ષો બાદ પણ ભેદભાવનું દૂષણ.
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન ફર્સ્ટ લુક જાહેર!
ભારતની મહત્વાકાંક્ષી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો ફર્સ્ટ લુક સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો છે. Ministry of Railwaysએ નવી દિલ્હીમાં પોતાના ગેટ નંબર 4 પર હાઈ-સ્પીડ ટ્રેન સેટનો ફોટો પ્રદર્શિત કર્યો છે, જેમાં ટ્રેનની આધુનિક એરોડાયનેમિક ડિઝાઇન જોવા મળે છે. મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર કુલ 508 કિલોમીટર લાંબો છે અને તેનો પ્રારંભ 15 ઓગસ્ટ 2027 સુધી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ બુલેટ ટ્રેનથી હાલમાં કલાકો લેતી મુસાફરી માત્ર આશરે 2 કલાકમાં પૂર્ણ થઈ શકશે, જે મુસાફરો માટે મોટી રાહત સાબિત થશે.
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન ફર્સ્ટ લુક જાહેર!
48 વર્ષીય મહિલા 7માં માળેથી પડ્યા, પોલીસને સુસાઇડ નોટ મળી.
અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં 48 વર્ષીય સીમાબેન દવેએ રહેણાંક ટાવરના સાતમા માળેથી કૂદી આત્મહત્યા કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ મહિલા લાંબા સમયથી માનસિક બીમારીથી પીડાઈ રહી હતી. ઘટનાસ્થળેથી મળેલી સુસાઇડ નોટમાં મહિલાએ પોતાના મોત માટે પરિવાર કે પતિને જવાબદાર ન ગણાવી કંટાળાને કારણે આ પગલું ભર્યાનું લખ્યું હતું. પોલીસે સાતમા માળેથી મહિલાના ચંપલ પણ કબજે કર્યા છે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
48 વર્ષીય મહિલા 7માં માળેથી પડ્યા, પોલીસને સુસાઇડ નોટ મળી.
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદીનો ફિયાસ્કો.
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં સરકારી ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ ન થતાં ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. 22 એપ્રિલથી ખરીદી પ્રક્રિયા શરૂ થવાની જાહેરાત છતાં એક મહિના બાદ પણ 110 નોંધાયેલા ખેડૂતોમાંથી માત્ર 4 ખેડૂતો પાસેથી જ ઘઉં ખરીદવામાં આવ્યું છે. પુરવઠા વિભાગ દ્વારા બારદાનની અછતનું કારણ દર્શાવવામાં આવી રહ્યું છે. ઘઉં વેચાણ અટવાતા ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે અને ખાતર, બિયારણ તથા ચોમાસાની વાવણી માટે જરૂરી આયોજન કરવામાં પણ અસમર્થ બન્યા છે. ગરમી વચ્ચે ખેડૂતોને તંત્રની બેદરકારીનો ભોગ બનવું પડી રહ્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદીનો ફિયાસ્કો.
સેલ્સગર્લ ₹1.11 કરોડના દાગીના ચોરી પ્રેમી સાથે ઝડપાઈ.
અમદાવાદના નિકોલના જ્વેલર્સમાંથી 1.11 કરોડના દાગીના ચોરનાર સેલ્સગર્લ હર્ષિદા શેટ્ટી અને તેના પ્રેમીને ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદથી ઝડપી પાડ્યા. સ્ટોક વેરિફિકેશનમાં 1 કિલોથી વધુ સોનું ગાયબ મળ્યું હતું, જે CCTV ફૂટેજમાં હર્ષિદા કપડાંના ગજવામાં છુપાવતી જોવા મળી. સારી લાઈફ જીવવાની લાલચમાં પ્રેમી સાથે મળીને દિલ્હી અને ઋષિકેશ ફરવા નીકળી ગઈ હતી. પોલીસે બંનેના બેન્ક ટ્રાન્ઝેક્શન અને CDRની તપાસ શરૂ કરી છે.
સેલ્સગર્લ ₹1.11 કરોડના દાગીના ચોરી પ્રેમી સાથે ઝડપાઈ.
NEET પેપર લીક: 'M સર'ની CBI દ્વારા ધરપકડ, કરોડોના સામ્રાજ્ય સુધી પહોંચ્યા!
NEET-UG 2026 પેપર લીક કાંડની તપાસ હવે મહારાષ્ટ્ર સુધી પહોંચી છે. CBI હાલમાં મહારાષ્ટ્રના જાણીતા કોચિંગ સંચાલક અને RCC ક્લાસીસના ફાઉન્ડર શિવરાજ મોટેગાંવકરની પૂછપરછ કરી રહી છે. ‘M Sir’ તરીકે જાણીતા મોટેગાંવકર મેડિકલ અને એન્જિનિયરિંગ કોચિંગ ક્ષેત્રમાં મોટું નામ ગણાય છે. લાતુરના ખેડૂત પરિવારમાંથી આવતા તેમણે સાયકલ પર ટ્યુશન આપીને કરિયર શરૂ કર્યું હતું અને બાદમાં નાનકડા રૂમમાં માત્ર 10 વિદ્યાર્થીઓ સાથે RCC ક્લાસીસની શરૂઆત કરી હતી. હવે પેપર લીક કેસમાં તેમનું નામ ચર્ચામાં આવ્યું છે.
NEET પેપર લીક: 'M સર'ની CBI દ્વારા ધરપકડ, કરોડોના સામ્રાજ્ય સુધી પહોંચ્યા!
તૃણમૂલ નેતા ભ્રષ્ટાચારમાં ફસાયા, ગ્રામજનોનો રોષ.
TMCના એક નેતા પર આવાસ યોજના અને મજૂરોના ફંડમાં ગોટાળાના આરોપ બાદ પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લાના કશ્મુલી ગ્રામ પંચાયતમાં ભારે હોબાળો મચ્યો હતો. ગ્રામ પંચાયત પ્રમુખ તરૂણ દલુઈ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવતા ગ્રામજનો ગુસ્સે ભરાયા હતા અને તેમણે પંચાયત ઓફિસ તેમજ નેતાના ઘરમાં તોડફોડ કરી હતી. ઘટનામાં ઘરને ભારે નુકસાન પહોંચ્યું હતું. બાદમાં પોલીસ અધિકારીઓ ટીમ સાથે સ્થળ પર પહોંચી સ્થિતિ કાબુમાં લીધી હતી અને કાયદો-વ્યવસ્થા જાળવવા ગામમાં વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
તૃણમૂલ નેતા ભ્રષ્ટાચારમાં ફસાયા, ગ્રામજનોનો રોષ.
કચ્છના રાપરમાં 'મામાદેવ મંદિર'ના પૂજારીએ ગાંજો વાવ્યો, 14 લીલા છોડ સાથે થઈ ધરપકડ
કચ્છના રાપર પોલીસે ગુપ્ત બાતમીના આધારે મામાદેવ મંદિર પરિસરમાંથી ગેરકાયદે ઉગાડવામાં આવેલા 14 ગાંજાના લીલા છોડ જપ્ત કર્યા છે. આશરે 2.47 કિલો વજનના આ છોડની કિંમત ₹1.23 લાખથી વધુ હોવાનું સામે આવ્યું છે. પોલીસે છેલ્લા છ વર્ષથી મંદિરમાં સેવા આપતા 61 વર્ષીય પૂજારી સામત મમુભાઈ રબારી ઉર્ફે બાલકનાથની ધરપકડ કરી છે. રાપરથી પાલનપર રોડ નજીક આવેલા મંદિરમાં સર્ચ ઓપરેશન દરમિયાન અલગ-અલગ જગ્યાએથી ગાંજાના છોડ મળી આવ્યા હતા. પોલીસે આરોપી સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
કચ્છના રાપરમાં 'મામાદેવ મંદિર'ના પૂજારીએ ગાંજો વાવ્યો, 14 લીલા છોડ સાથે થઈ ધરપકડ
મમ્મી હું અહીં પાગલ થઈ જઈશ...: મિસ પૂણે રહેલી યુવતીનું શંકાસ્પદ મોત!
ભોપાલમાં નોઇડાની 33 વર્ષીય ટ્વિશા શર્માએ શંકાસ્પદ સંજોગોમાં આત્મહત્યા કરતા ભારે ચકચાર મચી છે. લગ્ન બાદ સાસરીમાં માનસિક અને શારીરિક ત્રાસ સહન કરતી ટ્વિશાની માતા સાથેની વોટ્સએપ ચેટ સામે આવી છે, જેમાં તેણે જીવન નરક બની ગયાનું લખ્યું હતું. પોસ્ટમોર્ટમમાં ગળેફાંસો ઉપરાંત શરીર પર ઈજાના નિશાન પણ મળ્યા છે. પરિવારના આક્ષેપ મુજબ પતિ અને સાસરીવાળા દ્વારા તેને સતત હેરાન કરવામાં આવતી હતી. ભોપાલ પોલીસે ફરાર પતિ સમર્થ સિંહ સામે દહેજ ઉત્પીડન અને આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મમ્મી હું અહીં પાગલ થઈ જઈશ...: મિસ પૂણે રહેલી યુવતીનું શંકાસ્પદ મોત!
દોઢ કલાકમાં 3 ટ્રેનો પર પથ્થરમારો, મુસાફરોમાં ભય.
બિહારના મુઝફ્ફરપુરમાં રેલવે સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા કરતી ઘટના સામે આવી છે. મુઝફ્ફરપુર જંક્શન અને રામદયાલુ નગર સ્ટેશન વચ્ચે દોઢ કલાકમાં Vande Bharat Express સહિત ત્રણ ટ્રેનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પાટલિપુત્ર-ગોરખપુર વંદે ભારત એક્સપ્રેસના ત્રણ કોચના કાચ તૂટી જતા મુસાફરોમાં ભારે ભય અને અફરાતફરી ફેલાઈ ગઈ હતી. ઘટનાથી ગભરાયેલા મુસાફરો સીટો છોડીને ભાગવા લાગ્યા હતા. બાદમાં મુસાફરોએ તાત્કાલિક રેલવે પ્રશાસન અને RPFને જાણ કરી હતી.
દોઢ કલાકમાં 3 ટ્રેનો પર પથ્થરમારો, મુસાફરોમાં ભય.
દિલ્હી-ગોવા AAP નેતાના ઠેકાણે ED, બેન્ક લોન ફ્રોડ કેસમાં કાર્યવાહી.
ED એ AAP નેતા દીપક સિંગલા અને અન્ય લોકોના દિલ્હી અને ગોવા સ્થિત સ્થળો પર બેંક લોન ફ્રોડના મની લોન્ડરિંગ કેસમાં દરોડા પાડ્યા. સિંગલા MCD અને મહારાષ્ટ્ર-ગોવા AAP ના પ્રભારી છે. AAP એ આ કાર્યવાહીને રાજકીય ગણાવી કેન્દ્ર સરકાર પર એજન્સીઓના દુરુપયોગનો આરોપ મૂક્યો.
દિલ્હી-ગોવા AAP નેતાના ઠેકાણે ED, બેન્ક લોન ફ્રોડ કેસમાં કાર્યવાહી.
સુરતના ઉધનામાં ભાજપ નેતાની હત્યા!
સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. શહેરના ઉધના રોડ નંબર 6 ખાતે ભાજપના યુવા પદાધિકારી જય દલાલની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને જાહેરમાં ક્રૂર હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઇ છે. મૃતક જય દલાલ સુરતના લીંબાયત વિસ્તારના ધારાસભ્ય સંગીતાબેન પાટીલની અત્યંત નજીક ગણાતા મહિલા અગ્રણી જયશ્રીબેન દલાલનો પુત્ર હતો. આ ઉપરાંત તે પોતે પણ ભાજપ સંગઠન સાથે સક્રિયપણે જોડાયેલો હતો અને ડીંડોલી વોર્ડ યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે પક્ષની જવાબદારી સંભાળતો હતો.
સુરતના ઉધનામાં ભાજપ નેતાની હત્યા!
પિતાએ જ પુત્રીને પીંખી!
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી: IAS/IPS બનવા વિદ્યાર્થીઓ માટે અદભૂત તક.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં CCDC, JIO UPSC ભવન અને સ્વામી વિવેકાનંદ સ્ટડી સેન્ટર દ્વારા IAS-IPS બનવાનું વિદ્યાર્થીઓનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. અહી નિષ્ણાત ફેકલ્ટી દ્વારા વિનામૂલ્યે તાલીમ આપવામાં આવે છે, જેમાં રુ. 1000 થી 8000 સુધીની રિફંડેબલ ડિપોઝિટ લેવાય છે. 130 થી વધુ વિદ્યાર્થીઓ GPSC પાસ કરી ઓફિસર બન્યા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી: IAS/IPS બનવા વિદ્યાર્થીઓ માટે અદભૂત તક.
6 શહેરમાં 42°C પાર, સુરેન્દ્રનગર સૌથી ગરમ, તાપમાનમાં 2°C વધારો.
ગુજરાતમાં આકરી ગરમીનો પ્રકોપ વધ્યો છે. છેલ્લા 24 કલાકમાં સરેરાશ તાપમાનમાં 2 ડિગ્રી વધારો થયો છે. 6 શહેરોમાં પારો 42°Cને પાર પહોંચ્યો છે, જેમાં 44.5°C સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ રહ્યું. અમદાવાદ, રાજકોટ, ગાંધીનગરમાં 43°C થી ઉપર તાપમાન નોંધાયું. સુરતમાં 6.2°C વધુ તાપમાનને કારણે તીવ્ર હીટવેવનો અનુભવ થયો. આગામી 2 દિવસ તાપમાન સ્થિર રહેશે, પછી 2-3 ડિગ્રી ઘટશે.
6 શહેરમાં 42°C પાર, સુરેન્દ્રનગર સૌથી ગરમ, તાપમાનમાં 2°C વધારો.
સુરત: 21 ગુનાના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે પાનના ગલ્લા પર લૂંટ કેસમાં દબોચ્યો.
સુરત ક્રાઇમ બ્રાન્ચે 21 ગુનાહિત ઇતિહાસ ધરાવતા રીઢા ગુનેગાર સુબોધ રામાણીને સચિન વિસ્તારમાં પાનના ગલ્લા પર લૂંટના કેસમાં ઝડપી પાડ્યો છે. આરોપીએ મફતમાં માવો ખાઈ પૈસા માંગતા વેપારીને માર મારી 7-8 હજારની લૂંટ ચલાવી હતી. તેની સામે હત્યાનો પ્રયાસ, લૂંટ, ચોરી સહિત કુલ 21 ગુના નોંધાયેલા છે અને 3 વખત પાસા હેઠળ કાર્યવાહી થઈ ચૂકી છે.
સુરત: 21 ગુનાના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે પાનના ગલ્લા પર લૂંટ કેસમાં દબોચ્યો.
સિંહોના અકસ્માતો અટકાવવા 'ટેકનોલોજી'નો ઉપયોગ.
ગુજરાત વનવિભાગ એશિયાટિક સિંહોની સુરક્ષા માટે એક્શન પ્લાન હેઠળ ભાવનગર-સોમનાથ ને.હા. પર સિંહોના અકસ્માતો અટકાવવા 'ટેકનોલોજી'નો ઉપયોગ કરશે. 'હોટસ્પોટ' સ્થળોએ રમ્બલ સ્ટ્રીપ, કેટ આઈ, સાઈન બોર્ડ અને 20 'રોડ સેવકો' દ્વારા સુરક્ષા સુનિશ્ચિત કરાશે. એક સિંહને 'રેડિયો કોલર' લગાવી નજર રખાશે.
સિંહોના અકસ્માતો અટકાવવા 'ટેકનોલોજી'નો ઉપયોગ.
અમદાવાદ મેટ્રો સમયમાં ફેરફાર.
ટેરાનોવાસ પીઝામાંથી વંદો નીકળ્યો, ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં.
ગાંધીનગરના 'ટેરાનોવાસ પીઝા'માં પીરસવામાં આવેલા પીઝામાંથી જીવતો વંદો નીકળતા ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળ્યો. 'Buy 1 Get 1' સ્કીમ પાછળ રેસ્ટોરન્ટ સંચાલકોએ સ્વચ્છતા (Hygiene) ને નેવે મૂકી દેતા ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં થયા છે. ગાંધીનગર મનપાના ફૂડ વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે.
ટેરાનોવાસ પીઝામાંથી વંદો નીકળ્યો, ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં.
રાજકોટમાં દેશી દારૂ પીધા બાદ બે યુવાનોના શંકાસ્પદ મોત.
રાજકોટના સામા કાંઠાની ભગીરથ સોસાયટીમાં દેશી દારૂ પીધા બાદ મનસુખ ડાભી અને અલ્પેશ સાબરિયા નામના બે મિત્રોના શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યા છે. પોલીસને દારૂમાં કેમિકલ ભેળસેળની શંકા છે. Forensic PM બાદ સચોટ કારણ જાણી શકાશે. આ ઘટનાથી દેશી દારૂના દૂષણ સામે જનઆક્રોશ ફાટી નીકળ્યો છે.
રાજકોટમાં દેશી દારૂ પીધા બાદ બે યુવાનોના શંકાસ્પદ મોત.
સુરત કાપડ માર્કેટમાં પાર્સલ મજૂરીમાં રૂ. 15નો વધારો.
સુરતમાં પહેલી જૂનથી કાપડ માર્કેટમાં પાર્સલ મજૂરી દરમાં રૂ.15નો વધારો થશે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની અસર અને વધતી મોંઘવારીને કારણે ટ્રાન્સપોર્ટ લેબર યુનિયને આ નિર્ણય લીધો છે. હાલ રૂ.100-120 દર, નવા દર રૂ.115-135 થશે. આ નિર્ણયથી ટ્રાન્સપોર્ટ અને વેપારીઓના ખર્ચમાં વધારો થશે.
સુરત કાપડ માર્કેટમાં પાર્સલ મજૂરીમાં રૂ. 15નો વધારો.
ટ્રેનમાં બંધ પેટીમાંથી મહિલાના ટુકડે-ટુકડાં મૃતદેહ મળ્યો.
મેક્સિકોમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત.
મેક્સિકોના પુએબ્લા રાજ્યના તેહુઇટ્ઝિંગો શહેરમાં અજાણ્યા હુમલાખોરે અંધાધૂંધ ગોળીબાર કરીને 10 લોકોનો જીવ લીધો. આ ઘટનામાં 6 પુરુષો, 3 મહિલાઓ અને એક બાળકનો સમાવેશ થાય છે. ફેડરલ અને સ્થાનિક પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે, પરંતુ હુમલાખોર કે તેના હેતુ વિશે કોઈ સ્પષ્ટ માહિતી નથી. આ પુએબ્લા રાજ્યમાં હિંસાની પ્રથમ ઘટના નથી, અગાઉ પણ આવા હુમલાઓ થયા છે.
મેક્સિકોમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત.
સુરતમાં બેંક લૂંટનો આરોપી ઝડપાયો, રૂમાલ બતાવી કર્યું હતું કૃત્ય.
ગુજરાતમાં આકાશમાંથી અગનજ્વાળા: 7 શહેરોમાં તાપમાન 41°C પાર.
ગુજરાત રાજ્ય હાલ ભીષણ ગરમીની અસહ્ય લપેટમાં છે. સૌરાષ્ટ્રના 7 શહેરોમાં રવિવારે પારો 41°Cને પાર થયો, જેમાં સુરેન્દ્રનગર 44.5°C સાથે સૌથી ગરમ રહ્યું. રાજકોટ અને અમરેલીમાં પણ તાપમાન 43°Cથી ઉપર નોંધાયું. આગામી પાંચ દિવસ સુધી તાપમાન 40°Cથી ઉપર રહેવાની સંભાવના છે, જોકે 2-3 દિવસમાં સામાન્ય ઘટાડો થઈ શકે છે. ચોમાસુ 26 મેની આસપાસ કેરળમાં દસ્તક દઈ શકે છે.