કચ્છના રાપરમાં 'મામાદેવ મંદિર'ના પૂજારીએ ગાંજો વાવ્યો, 14 લીલા છોડ સાથે થઈ ધરપકડ
કચ્છના રાપરમાં 'મામાદેવ મંદિર'ના પૂજારીએ ગાંજો વાવ્યો, 14 લીલા છોડ સાથે થઈ ધરપકડ
Published on: 18th May, 2026

કચ્છના રાપર પોલીસે ગુપ્ત બાતમીના આધારે મામાદેવ મંદિર પરિસરમાંથી ગેરકાયદે ઉગાડવામાં આવેલા 14 ગાંજાના લીલા છોડ જપ્ત કર્યા છે. આશરે 2.47 કિલો વજનના આ છોડની કિંમત ₹1.23 લાખથી વધુ હોવાનું સામે આવ્યું છે. પોલીસે છેલ્લા છ વર્ષથી મંદિરમાં સેવા આપતા 61 વર્ષીય પૂજારી સામત મમુભાઈ રબારી ઉર્ફે બાલકનાથની ધરપકડ કરી છે. રાપરથી પાલનપર રોડ નજીક આવેલા મંદિરમાં સર્ચ ઓપરેશન દરમિયાન અલગ-અલગ જગ્યાએથી ગાંજાના છોડ મળી આવ્યા હતા. પોલીસે આરોપી સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.