કોકરોચ જનતા પાર્ટીની ચીમકી બાદ સરકાર ઝૂકી, બિહાર-આસામમાં FIR પાછી ખેંચવાનો નિર્ણય
કોકરોચ જનતા પાર્ટીની ચીમકી બાદ સરકાર ઝૂકી, બિહાર-આસામમાં FIR પાછી ખેંચવાનો નિર્ણય
Published on: 28th July, 2026

વિદ્યાર્થીઓ અને યુવા આંદોલનકારીઓના સતત વિરોધ બાદ સરકારે મોટો નિર્ણય લીધો છે. કોકરોચ જનતા પાર્ટી (CJP) અને સરકારી પ્રતિનિધિઓ વચ્ચેની બેઠક બાદ વિદ્યાર્થીઓ સામે નોંધાયેલા કેસો પાછા ખેંચવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. બિહાર અને અસમ સરકારે આ અંગે મહત્વપૂર્ણ આદેશ બહાર પાડ્યા છે. CJPના પ્રવક્તા સૌરવ દાસે જણાવ્યું કે, દિલ્હી પોલીસના મધ્યસ્થી બાદ સરકાર FIR પાછી ખેંચવા, ભવિષ્યમાં કાર્યવાહી ન કરવા અને તમામ અટકાયતીઓને મુક્ત કરવાની ખાતરી આપી છે. આ નિર્ણય CJPની આંદોલન પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.