એવરેસ્ટ સર કર્યા બાદ બે ભારતીયોના 'ડેથ ઝોન'માં મોત.
એવરેસ્ટ સર કર્યા બાદ બે ભારતીયોના 'ડેથ ઝોન'માં મોત.
Published on: 22nd May, 2026

માઉન્ટ એવરેસ્ટ સર કર્યા બાદ ભારતના બે પર્વતારોહકો અરુણ કુમાર તિવારી અને સંદીપ આરેનું નીચે ઉતરતી વખતે કરુણ મોત થયું છે. બંનેએ સફળતાપૂર્વક શિખર સર કરીને તિરંગો લહેરાવ્યો હતો, પરંતુ ‘ડેથ ઝોન’માં ઓક્સિજનની અછત અને અતિશય થાકને કારણે તેઓ સુરક્ષિત પાછા ફરી શક્યા નહોતા. નેપાળના તંત્રએ ઘટનાની પુષ્ટિ કરી છે. સંદીપ આરેએ બુધવારે અને અરુણ તિવારીએ ગુરુવારે શિખર સર કર્યું હતું. શેરપા ગાઇડ્સે બચાવ પ્રયાસ કર્યા છતાં બંનેને બચાવી શકાયા નહોતા.