પ્રવાસ સાહિત્ય વ્યાખ્યાનમાળા: "પ્રવાસ એ માત્ર ભ્રમણ પૂરતો સીમિત નથી પરંતુ સંસ્કૃતિઓને જોડતો રાજમાર્ગ છે".
પ્રવાસ સાહિત્ય વ્યાખ્યાનમાળા: "પ્રવાસ એ માત્ર ભ્રમણ પૂરતો સીમિત નથી પરંતુ સંસ્કૃતિઓને જોડતો રાજમાર્ગ છે".
Published on: 17th March, 2026

ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગ દ્વારા આયોજિત વ્યાખ્યાનમાળામાં વક્તાએ પ્રવાસને સંસ્કૃતિઓ જોડતો રાજમાર્ગ ગણાવ્યો. ડો. અભય દોશીએ મધ્યકાળથી અર્વાચીન યુગ સુધીના પ્રવાસ સાહિત્યની સફર કરાવી. ડો. કાશ્મીરાબેન મહેતાએ કચ્છી પ્રવાસીઓના દ્રષ્ટાંતો આપ્યા અને તેના પર સંશોધન પર ભાર મૂક્યો. આ કાર્યક્રમમાં PHD scholarsએ પોતાના સંશોધનની વિગતો રજૂ કરી.