વડોદરામાં મહિલાએ ઝાડ પર ગળાફાંસો ખાધો, મંદિર પાસે મૃતદેહ મળ્યો, પરિવારનું કરુણ રુદન.
વડોદરામાં મહિલાએ ઝાડ પર ગળાફાંસો ખાધો, મંદિર પાસે મૃતદેહ મળ્યો, પરિવારનું કરુણ રુદન.
Published on: 17th March, 2026

વડોદરાના વારસિયા રિંગ રોડ પર વિજયનગર માઈ દેવીપૂજક મંદિર પાસે ધનસાબેન ચુનારાએ વડના ઝાડ પર દોરડું બાંધી આપઘાત કર્યો. આ ઘટનાથી સ્થાનિકોમાં અરેરાટી ફેલાઈ ગઈ. 112 જનરક્ષક અને વારસિયા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. પરિણીતાના આપઘાતથી પરિવારમાં હૈયાફાટ રુદન મચી ગયું, પોલીસે પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.