રાજકોટનું ‘કૈલાશ પર્વત’ બન્યું પશ્ચિમ ભારતનું સર્વશ્રેષ્ઠ શાકાહારી રેસ્ટોરન્ટ!
રાજકોટનું ‘કૈલાશ પર્વત’ બન્યું પશ્ચિમ ભારતનું સર્વશ્રેષ્ઠ શાકાહારી રેસ્ટોરન્ટ!
Published on: 16th July, 2026

રાજકોટની 'કૈલાશ પર્વત રાજકોટ' રેસ્ટોરન્ટને મુંબઈ ખાતે યોજાયેલા 'રેસ્ટોરન્ટ એવોર્ડ્સ 2026, વેસ્ટ ઇન્ડિયા એડિશન'માં 'વેજિટેરિયન રેસ્ટોરન્ટ ઓફ ધ યર' તરીકે સન્માનિત કરવામાં આવી છે. માત્ર ચાર મહિનાના ટૂંકા ગાળામાં આ સિદ્ધિ મેળવવી અત્યંત પ્રશંસનીય છે. આ સ્પર્ધામાં પશ્ચિમ ભારતના 150 થી વધુ રેસ્ટોરન્ટ્સ નોમિનેટ થયા હતા, જેમાં કૈલાશ પર્વતે તેની ઉત્કૃષ્ટ ઇન્ટિરિયર, સર્વિસ ક્વોલિટી અને ગ્રાહક પ્રતિભાવોના આધારે આ પ્રતિષ્ઠિત એવોર્ડ જીત્યો. સેલિબ્રિટી શેફ સંજીવ કપૂર મુખ્ય અતિથિ હતા.