ગોધરામાં ભક્તિમય માહોલમાં રથયાત્રા સંપન્ન
ગોધરામાં ભક્તિમય માહોલમાં રથયાત્રા સંપન્ન
Published on: 16th July, 2026

અષાઢી બીજના પવિત્ર દિવસે ગોધરાના ઐતિહાસિક રણછોડજી મંદિરથી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા ભક્તિભાવ સાથે નીકળી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થયેલી યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. ઠેર-ઠેર રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું અને ભજન મંડળોએ ભક્તિમય માહોલ સર્જ્યો. ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બલરામને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રથયાત્રા સાંજે નિજ મંદિર પરત ફરી હતી.