ગુજરાતમાં ફેક્ટરી અકસ્માતમાં 121 મોત: ઇન્સ્પેક્શનના નામે 'હપ્તારાજ' જવાબદાર
ગુજરાતમાં ફેક્ટરી અકસ્માતમાં 121 મોત: ઇન્સ્પેક્શનના નામે 'હપ્તારાજ' જવાબદાર
Published on: 17th June, 2026

ગુજરાતમાં ઔદ્યોગિક સલામતીની નિષ્ફળતાને કારણે શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે. ઇન્સ્પેક્શનના નામે ચાલતા 'હપ્તારાજ'ને કારણે ફેક્ટરી અકસ્માતોમાં 121 શ્રમિકોના મોત સાથે ગુજરાત દેશમાં ટોચ પર છે. રાજ્યમાં 31,500 ફેક્ટરીઓમાં 16.93 લાખ શ્રમિકો કામ કરી રહ્યા છે. ભ્રષ્ટાચાર અને 'હપ્તારાજ'ને કારણે નિર્દોષ શ્રમિકો ગમખ્વાર દુર્ઘટનાઓનો ભોગ બની રહ્યા છે. અનેક કંપનીઓમાં ફાયર સેફ્ટી અને સુરક્ષાના પૂરતા સાધનોનો અભાવ છે. આ ગંભીર પરિસ્થિતિને રોકવા માટે હવે માત્ર સહાય નહીં, પરંતુ જવાબદારો સામે કડક પગલાં ભરવાની માગ ઉઠી છે.