રોડ પરના ખાડાને કારણે મૃત્યુ કે ઈજા થાય તો વળતર મળે કે નહીં?
રોડ પરના ખાડાને કારણે મૃત્યુ કે ઈજા થાય તો વળતર મળે કે નહીં?
Published on: 14th August, 2026

દિલ્હી-NCR અને બેંગ્લોર જેવાં મોટાં શહેરોમાં રસ્તાઓના ઊંડા ખાડા વાહનચાલકો માટે જીવલેણ બની રહ્યા છે. ચોમાસામાં બિસ્માર રસ્તાઓ ગંભીર અકસ્માતોનું કારણ બને છે, જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થાય છે અથવા મૃત્યુ પામે છે. તાજેતરમાં બેંગ્લોરમાં ખાડાને કારણે એક મહિલાનું મોત થયું, જ્યારે દિલ્હીમાં ઇ-રિક્ષા પલટી જતાં 6 લોકો ઘાયલ થયા. આવા અકસ્માતોમાં જવાબદાર કોણ છે અને પીડિતોને વળતર કેવી રીતે મળી શકે? કાયદા મુજબ, આવા અકસ્માતોમાં પીડિત વ્યક્તિ કે તેના પરિવારજનોને વળતર મેળવવાનો સંપૂર્ણ અધિકાર છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ અનુસાર, રસ્તાઓની જાળવણીમાં નિષ્ફળ રહેલી સરકારી એજન્સીઓને જવાબદાર ઠેરવી શકાય છે.