સમય રૈનાને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત: દિવ્યાંગો પર વિવાદિત ટિપ્પણી મામલે FIR રદ
સમય રૈનાને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત: દિવ્યાંગો પર વિવાદિત ટિપ્પણી મામલે FIR રદ
Published on: 14th August, 2026

સુપ્રીમ કોર્ટે યુટ્યુબર-કોમેડિયન સમય રૈના અને અન્ય ચાર કોમેડિયન્સ સામે 'India's Got Latent' શોમાં દિવ્યાંગજનો પર કરવામાં આવેલી ટિપ્પણીઓને લઈને દાખલ કરાયેલા તમામ ફોજદારી કેસો રદ કર્યા છે. CJI સૂર્યકાંતની બેન્ચે કોમેડિયન્સના દિવ્યાંગોના કલ્યાણ માટે ફંડ રેઝિંગ શોના પ્રયાસોની પ્રશંસા કરી. આદેશ મુજબ, સમય રૈના સહિત પાંચેય પ્રતિવાદીઓ સામેની ફોજદારી કાર્યવાહી બંધ કરાઈ છે. 'Cure SMA India Foundation' દ્વારા SMAની સારવાર અને ગરિમાના મુદ્દે અરજી કરાઈ હતી. કોર્ટે ઓનલાઈન કન્ટેન્ટ પર નિયંત્રણો માટે સુનાવણી ચાલુ રાખશે.