NSA ડોભાલની દુશ્મન દેશોને ચેતવણી: "અમારી સહનશીલતાને નબળાઈ ન સમજશો!"
NSA ડોભાલની દુશ્મન દેશોને ચેતવણી: "અમારી સહનશીલતાને નબળાઈ ન સમજશો!"
Published on: 14th August, 2026

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ એ 15 ઑગસ્ટ પહેલા દુશ્મન દેશોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારતની સહનશીલતાને નબળાઈ ન સમજવી. તેમણે જણાવ્યું કે ભારત જોખમ ઉઠાવી શકે છે અને જરૂર પડ્યે ઘરમાં ઘૂસીને જડબાતોડ પ્રહાર પણ કરી શકે છે. ઓપરેશન સિંદૂર અંગે વાત કરતાં, તેમણે 88 કલાક ચાલેલા સૈન્ય અભિયાન પાછળની વ્યૂહરચના અને નિર્ણય પ્રક્રિયા સમજાવી. પહેલગામ આતંકી હુમલાના જવાબરૂપે કરવામાં આવેલી આ કાર્યવાહીનો મુખ્ય હેતુ આતંકી ઠેકાણાઓનો સફાયો કરવાનો હતો. NSA ડોભાલ એ વિશ્વને ભારપૂર્વક જણાવ્યું કે ભારતની ઉદારતાને કમજોરી ન ગણવી જોઈએ.