આન, બાન, શાન સાથે ઉજવાશે 80મું સ્વાતંત્ર્ય પર્વ
આન, બાન, શાન સાથે ઉજવાશે 80મું સ્વાતંત્ર્ય પર્વ
Published on: 14th August, 2026

ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયાને 79 વર્ષ પૂર્ણ થતા આવતીકાલે 15મી ઓગસ્ટે 80માં સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરવામાં આવશે. દેશભરમાં તિરંગો લહેરાશે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લાલકિલ્લા પરથી રાષ્ટ્રજોગ પ્રવચન કરશે. ગુજરાતમાં રાજ્યકક્ષાની ઉજવણી અમરેલી ખાતે થશે, જેમાં મુખ્યમંત્રી અને રાજ્યપાલ ઉપસ્થિત રહેશે. અન્ય જિલ્લાઓમાં મંત્રીઓ ધ્વજવંદન કરાવશે. દેશભરમાં દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે અને "હર ઘર તિરંગા" યાત્રામાં લોકો ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે.