બુમરાહ બાદ સ્ટાર ઓપનર સાઈ સુદર્શન પણ 'અનફિટ', BCCIની નવી અપડેટ
બુમરાહ બાદ સ્ટાર ઓપનર સાઈ સુદર્શન પણ 'અનફિટ', BCCIની નવી અપડેટ
Published on: 03rd August, 2026

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અંતર્ગત શ્રીલંકા સામેની 2 મેચોની ટેસ્ટ સીરિઝ પહેલાં ભારતીય ટીમ માટે ચિંતાઓ વધી છે. સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ ઈજાને કારણે બહાર થયા બાદ હવે સ્ટાર ઓપનર સાઈ સુદર્શન પણ સંપૂર્ણપણે ફિટ થઈ શક્યો નથી. તેના કારણે 4 ઓગસ્ટે શ્રીલંકા જનારી ભારતીય ટીમમાં તેનો સમાવેશ થશે કે કેમ તે અંગે સસ્પેન્સ છે. BCCIએ તેની ફિટનેસ ક્લિયરન્સને આધીન ટીમમાં રાખ્યો હતો. એડીની ઈજા બાદ તે બેંગલુરુમાં રીહેબમાં છે.