મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ સિંહ નિર્દોષ જાહેર
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ સિંહ નિર્દોષ જાહેર
Published on: 03rd August, 2026

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે ભારતીય જનતા પાર્ટીના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ અને તેમના સહયોગી વિનોદ તોમરને નિર્દોષ જાહેર કર્યા છે. આ મામલે સ્પેશિયલ જજ અશ્વિની પનવરે કેમેરા સામે પોતાનો ચુકાદો સંભળાવ્યો. મહિલા પહેલવાનો દ્વારા બ્રિજભૂષણ સિંહ પર યૌન શોષણના આરોપો લગાવવામાં આવ્યા હતા, જેના સંદર્ભમાં કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. બ્રિજભૂષણ સિંહ નિર્દોષ જાહેર થતા તેમના વકીલે કહ્યું કે, તેમને શરૂઆતથી જ ફરિયાદ અને ફરિયાદીના નિવેદનો વચ્ચે વિસંગતતાઓ લાગી રહી હતી.