શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમમાં આકિબ નબીનો સમાવેશ
શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમમાં આકિબ નબીનો સમાવેશ
Published on: 03rd August, 2026

જમ્મુ-કાશ્મીરના ફાસ્ટ બોલર આકિબ નબીને શ્રીલંકા સામેની ટેસ્ટ ટીમમાં જસપ્રીત બુમરાહના સ્થાને તક મળી છે. ઘૂંટણની ઈજાને કારણે બુમરાહને છેલ્લી ઘડીએ બહાર થવું પડ્યું છે, જેના પગલે BCCIની મેડિકલ ટીમે તેને આરામની સલાહ આપી છે. આકિબ નબીની પસંદગી તેના ઘરેલું ક્રિકેટ, ખાસ કરીને રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શનના કારણે થઈ છે. તેણે છેલ્લી બે સીઝનમાં 104 વિકેટ ઝડપી છે અને જમ્મુ કાશ્મીરને રણજી ટ્રોફીનો પ્રથમ ખિતાબ જીતાડવામાં મહત્વનો ફાળો આપ્યો છે.